Surah Al-Jinn
સૂરહ અલ-જિન્ન
સૂરહ અલ-જિન્ન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૦) (તમે) કહી દો કે, “હું તો ફક્ત મારા રબને જ પોકારું છું અને તેના સાથે કોઈને પણ ભાગીદાર નથી બનાવતો.” [11]
(૨૧) કહી દો કે, “હું તમારા માટે કોઈ નફા-નુક્સાનનો અધિકાર ધરાવતો નથી” [12]
(૨૨) કહી દો કે, “મને કદી કોઈ અલ્લાહથી બચાવી શકતું નથી અને હું ક્યારેય તેના સિવાય પનાહની જગ્યા પણ નથી મેળવી શકતો.”
(૨૩) પરંતુ (મારું કામ) તો ફક્ત અલ્લાહની વાત અને તેનો સંદેશો (લોકોને) પહોંચાડી દેવાનો છે (હવે) જે પણ અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરશે તેના માટે જહન્નમની આગ છે જેમાં આવા લોકો હંમેશા રહેશે”
(૨૪) ત્યાં સુધી કે જ્યારે તેને જોઈ લેશે, જેનો તેમનાથી વાયદો કરાયો છે તો નજીકના ભવિષ્યમાં જાણી લેશે કે કોના સહાયક કમજોર અને કયા જૂથવાળા ઓછા છે. [13]
(૨૫) (તમે) કહી દો, “મને ખબર નથી કે જેનો વાયદો તમારાથી કરવામાં આવે છે તે નજીક છે અથવા મારો રબ તેના માટે લાંબી મુદ્ત નિર્ધારિત કરશે”
(૨૬) તે ગૈબનો જાણવાવાળો છે અને તે પોતાના ગૈબ પર કોઈને ખબર આપતો નથી.
(૨૭) સિવાય તે રસૂલના જેને તે પસંદ કરી લે, [14] એટલા માટે કે તેમના પણ આગળ-પાછળ પહેરેદારો (ફરિશ્તાઓ) લગાવી દીધા છે. [15]
(૨૮) જેથી ખબર પડી જાય કે તેમણે પોતાના રબનો સંદેશો પહોંચાડી દીધો [16] અલ્લાહ (તઆલા) એ તેમની નજીકની વસ્તુઓને કાબૂમાં રાખી છે અને દરેક વસ્તુની સંખ્યા ગણી રાખી છે. (ع-૨)