(૭૮) તે (અલ્લાહ) જ છે જેણે તમારા માટે કાન, આંખો અને દિલ બનાવ્યા, પરંતુ તમે ઘણા ઓછા આભારી થાઓ છો.
(૭૯) અને તે જ છે જેણે તમને (પેદા કરીને) ધરતી પર ફેલાવી દીધા અને તેના જ તરફ તમે એકઠા કરવામાં આવશો.[1]
(૮૦) અને તે જ છે જે જીવાડે છે અને મારે છે અને રાત-દિવસનો ફેરબદલ કરવાનો માલિક પણ તે જ છે તો શું તમારી સમજમાં આ વાત નથી આવતી ?
(૮૧) પરંતુ આ લોકોએ પણ એ જ વાત કહી જે પહેલાના લોકો કહેતા આવ્યા છે.
(૮૨) કહ્યું કે, “જ્યારે અમે મરીને માટી અને હાડકાં બની જઈશું, તો શું ફરીથી અમને જીવતા કરી ઉઠાવવામાં આવશે ?
(૮૩) અમારા અને અમારા બાપ-દાદાઓના પહેલાથી જ આ વાયદો ચાલી આવ્યો છે, કશું નથી આ તો ફક્ત અગાઉના લોકોના કિસ્સાઓ છે.
(૮૪) પૂછો કે, “ધરતી અને તેની તમામ વસ્તુ કોની છે ? બતાવો જો જાણતા હોવ.”
(૮૫) આ લોકો તરત જ જવાબ આપશે કે અલ્લાહ, કહી દો, “તો પછી તમે નસીહત કેમ પ્રાપ્ત નથી કરતા ?"
(૮૬) પૂછો, “સાતેય આકાશોનો અને ઈજ્જતવાળા અર્શનો રબ કોણ છે?'
(૮૭) આ લોકો જવાબ આપશે કે, “અલ્લાહ જ છે.” કહી દો કે, “પછી તમે કેમ ડરતા નથી?”[1]
(૮૮) પૂછો કે, “તમામ વસ્તુઓનો અધિકાર કોના હાથમાં છે અને કોણ છે જે પનાહ આપે છે, તેની તુલનામાં કોઈ પનાહ નથી આપી શક્તું, જો તમે જાણતા હોવ તો. બતાવી દો?”
(૮૯) આ લોકો જવાબ આપશે કે, “અલ્લાહ જ છે.” કહી દો, “પછી તમારા ઉપર કયાંથી જાદૂ થઈ જાય છે?”
(૯૦) સાચુ તો એ છે કે અમે તેમને સત્ય પહોંચાડી દીધું છે, અને આ લોકો બેશક જૂઠા છે.
(૯૧) ન તો અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો અને ન તેના સાથે કોઈ બીજો મા'બૂદ છે, નહિતર દરેક મા'બૂદ પોતાની સૃષ્ટિને લઈને ફરતો રહેતો અને દરેક એકબીજા પર ચઢિયાતા થવા માટે કોશિશ કરતા, જે ગુણો આ લોકો બતાવે છે તેનાથી અલ્લાહ પવિત્ર છે.
(૯૨) તે છુપા અને ખુલાને જાણનાર છે અને જે શિર્ક આ લોકો કરે છે તેનાથી ઘણો ઉચ્ચતર છે. (ع-૫)