(૨૬) અને જ્યારે અમે ઈબ્રાહીમના માટે ઘર (કા'બા)ની જગ્યા નિશ્ચિત કરી દીધી[1] (એ પ્રતિબંધ સાથે) કે મારા સાથે કોઈને સામેલ ન કરતા[2] અને મારા ઘરની પરિક્રમા (તવાફ) કરનારાઓ, ઊભા રહેનારાઓ અને રુકૂઅ અને સિજદો કરનારાઓ માટે શુધ્ધ અને પવિત્ર રાખશો.
(૨૭) અને લોકોમાં હજ્જનું એલાન કરી દો, લોકો તમારા પાસે પગપાળા પણ આવશે અને દુબળા-પાતળા ઊંટો પર પણ દૂર-સુદૂરના તમામ માર્ગોથી આવશે.
(૨૮) પોતાનો ફાયદો પ્રાપ્ત કરવા માટે આવી જાય અને તે નિર્ધારિત દિવસોમાં અલ્લાહના નામને યાદ કરે તે ચોપાયાઓ પર જે પાલતુ છે, તો તમે પણ ખાઓ અને ભૂખ્યા ગરીબોને પણ ખવડાવો.
(૨૯) પછી તેઓ પોતાનો મેલ-કુચેલ દૂર કરે[1] અને પોતાની મન્નત પૂરી કરે અને અલ્લાહના પ્રાચીન ઘરની પરિક્રમા (તવાફ) કરે.
(૩૦) આ છે, અને જે કોઈ અલ્લાહના પ્રતિબંધોનો આદર કરે, તેના પોતાના માટે તેના રબ પાસે ભલાઈ છે, અને તમારા માટે ચોપાયા જાનવર હલાલ (વૈદ્ય) કરી દેવામાં આવ્યા સિવાય તેમના જે તમારા સામે વર્ણન કરી દેવામાં આવ્યા છે, તો તમારે મૂર્તિઓની ગંદકીથી બચતા રહેવું જોઈએ[1] અને જૂઠી વાતોથી પણ બચવું જોઈએ.
(૩૧) અલ્લાહની તૌહીદ (એકેશ્વરવાદ) ને કબૂલ કરતા[1] તેના સાથે કોઈને પણ ભાગીદાર ન બનાવતા, (સાંભળો!) અલ્લાહનો ભાગીદાર બનાવનાર જેવો કે આકાશથી પડી ગયો, હવે કાં તો તેને પક્ષીઓ ઉંચકીને લઈ જાય અથવા હવા કોઈ દૂર-સુદૂરની જગ્યા પર ફેંકી દે.[2]
(૩૨) આ સાંભળી લીધુ, (અને સાંભળી લો!) અલ્લાહની નિશાનીઓનો જે કોઈ આદર અને સન્માન કરે તો આ તેના દિલની પરહેઝગારીના કારણે છે.[1]
(૩૩) તેમાં તમારા માટે એક નિર્ધારિત સમય સુધી ફાયદો છે, પછી તેમની કુરબાની કરવા (બલિ ચઢાવવા)ની જગ્યા પ્રાચીન ઘર (કા'બા) ના પાસે છે.[1] (ع-૪)