Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૯

આયત ૧૫૧ થી ૧૫૪


قُلْ تَعَالَوْا اَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَیْكُمْ اَلَّا تُشْرِكُوْا بِهٖ شَیْئًا وَّ بِالْوَالِدَیْنِ اِحْسَانًا ۚ وَ لَا تَقْتُلُوْۤا اَوْلَادَكُمْ مِّنْ اِمْلَاقٍ ؕ نَحْنُ نَرْزُقُكُمْ وَ اِیَّاهُمْ ۚ وَ لَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَ مَا بَطَنَ ۚ وَ لَا تَقْتُلُوا النَّفْسَ الَّتِیْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ ؕ ذٰلِكُمْ وَصّٰىكُمْ بِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ (151)

(૧૫૧) તમે કહી દો કે આવો હું પઢીને સંભળાઉ કે તમને તમારા રબે શાનાથી મનાઈ કરી છે. તે એ કે તેના સાથે કોઈ વસ્તુને શરીક ન કરો, અને માતા-પિતા સાથે ભલુ વર્તન કરો, અને પોતાની સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેમને રોજી પ્રદાન કરીએ છીએ, અને ખુલી તથા છૂપી અશ્લિલ વાતોની નજીક ન જાઓ અને તે જીવ ને જેણે અલ્લાહે મના કરેલ છે કતલ ન કરો, પરંતુ સત્યની સાથે, તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે સમજો.


وَ لَا تَقْرَبُوْا مَالَ الْیَتِیْمِ اِلَّا بِالَّتِیْ هِیَ اَحْسَنُ حَتّٰى یَبْلُغَ اَشُدَّهٗ ۚ وَ اَوْفُوا الْكَیْلَ وَ الْمِیْزَانَ بِالْقِسْطِ ۚ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا ۚ وَ اِذَا قُلْتُمْ فَاعْدِلُوْا وَ لَوْ كَانَ ذَا قُرْبٰى ۚ وَ بِعَهْدِ اللّٰهِ اَوْفُوْا ؕ ذٰلِكُمْ وَصّٰىكُمْ بِهٖ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَۙ (152)

(૧૫૨) અને અનાથના માલની નજીક ન જાઓ, પરંતુ ઘણા સારા તરીકાથી ત્યાં સુધી કે તે પુખ્ત ઉંમરે પહોંચી જાય, અને ન્યાયની સાથે તોલમાપ પૂરો કરો, અમે કોઈની ઉપર તેની તાકાતથી વધારે બોજ નથી રાખતા, અને જયારે બોલો તો ન્યાય કરો, ભલે ને તે નજીકના રિશ્તેદાર કેમ ન હોય, અને અલ્લાહથી કરેલ વાયદાને પૂરો કરો, તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે યાદ રાખો.


وَ اَنَّ هٰذَا صِرَاطِیْ مُسْتَقِیْمًا فَاتَّبِعُوْهُ ۚ وَ لَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِیْلِهٖ ؕ ذٰلِكُمْ وَصّٰىكُمْ بِهٖ لَعَلَّكُمْ تَتَّقُوْنَ (153)

(૧૫૩) અને આ જ મારો સીધો રસ્તો છે એટલા માટે તેના ઉપર જ ચાલો અને બીજા રસ્તાઓ ઉપર ન ચાલો નહિ તો તમને તેના રસ્તાથી હટાવી દેશે. તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે સલામત રહો.


ثُمَّ اٰتَیْنَا مُوْسَى الْكِتٰبَ تَمَامًا عَلَى الَّذِیْۤ اَحْسَنَ وَ تَفْصِیْلًا لِّكُلِّ شَیْءٍ وَّ هُدًى وَّ رَحْمَةً لَّعَلَّهُمْ بِلِقَآءِ رَبِّهِمْ یُؤْمِنُوْنَ ۧ (154)

(૧૫૪) પછી અમે (રસૂલ) મૂસાને કિતાબ આપી, જે તેના ૫૨ નેઅમત પૂરી કરવા માટે જેણે નેક કામ કર્યા અને દરેક વસ્તુની વિગત અને હિદાયત અને કૃપાના માટે, જેથી તેઓ પોતાના રબની મુલાકાત ૫૨ યકીન કરે. -૧૯)