સૂરહઆલે ઈમરાન[1] મદીના માં નાઝિલ થઇ (ઉતરી) હતી.આ સૂરહ માં બસો(૨૦૦) આયતોઅને વીસ (૨૦) રૂકૂઅ છે.
[1]આ સૂરહ મદની છે. તેની બધીજ આયતો જુદા-જુદા સમયમાં મદીનામાં જ ઉતરી અને તેનો શરૂઆતનો ભાગ એટલે કે 83 આયતો સુધી ઈસાઈઓના નજરાનના પ્રતિનિધિ મંડળ (આ શહેર હવે સઉદી અરબમાં છે)ના વિષે ઉતર્યો છે, જે 9 હિજરીમાં નબી (ﷺ)ની સેવામાં હાજર થયુ હતું. ઈસાઈઓએ આવીને નબી કરીમ (ﷺ) થી પોતાના ઈસાઈ અકીદા અને ઈસ્લામ વિષે વાદ-વિવાદ કર્યો જેને રદ કરી તેઓને મુબાહિલા (એક રીત છે જેના અનુસાર કસમ ખાઈને પોતાની વાત કહેવામાં આવે છે) ની દાવત પણ આપવામાં આવી. જેનું વિસ્તૃતમાં વર્ણન આગળ આવશે, આ પૃષ્ઠભૂમિમાં કુરઆન કરીમની આ આયતોનો અભ્યાસ કરવામાં આવશે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.