આ સૂરહ મદની છે. તેની બધીજ આયતો જુદા-જુદા સમયમાં મદીનામાં જ ઉતરી અને તેનો શરૂઆતનો ભાગ એટલે કે ૮૩ આયતો સુધી ઈસાઈઓના નજરાનના પ્રતિનિધિ મંડળ (આ શહેર હવે સઉદી અરબમાં છે)ના વિષે ઉતર્યો છે, જે ૯ હિજરીમાં નબી (ﷺ) ની સેવામાં હાજર થયુ હતું. ઈસાઈઓએ આવીને નબી (ﷺ) કરીમ થી પોતાના ઈસાઈ અકીદા અને ઈસ્લામ વિષે વાદ-વિવાદ કર્યો જેને રદ કરી તેઓને મુબાહિલા (એક રીત છે જેના અનુસાર કસમ ખાઈને પોતાની વાત કહેવામાં આવે છે)ની દાવત પણ આપવામાં આવી. જેનું વિસ્તૃત માં વર્ણન આગળ આવશે, આ પૃષ્ઠભૂમિમાં કુરઆન કરીમની આ આયતોનો અભ્યાસ કરવામાં આવશે.