(૬૧) અને સમૂદની કોમ તરફ તેમના ભાઈ સાલેહને મોકલ્યા, તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તેણે જ તમને ધરતીમાંથી પેદા કર્યા છે,[1] અને તેણે જ તમને ધરતી ઉપર વસાવ્યા છે, એટલા માટે તમે તેનાથી માફી માગો અને તેના તરફ તૌબા કરો, બેશક મારો રબ તૌબાને કબૂલ કરવાવાળો નજદીક છે.”
(૬૨) (કોમે) કહ્યું, “હે સાલેહ! આના પહેલા અમે તમારાથી ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા હતા, શું તમે અમને તેમની બંદગીથી રોકો છો, જેમની બંદગી અમારા બાપ-દાદા કરતા આવ્યા છે, અમને તો આ ધર્મમાં શંકા છે જેના તરફ તમે બોલાવી રહ્યા છો.”[1]
(૬૩) (સાલેહે) જવાબ આપ્યો, “હે મારી કોમના લોકો! જરા બતાવો કે જો હું પોતાના રબ તરફથી કોઈ ખાસ દલીલ પર હોઉં અને તેણે મને પોતાના તરફથી કૃપા પ્રદાન કરી હોય, તો પછી જો હું તેની નાફરમાની કરું તો કોણ છે જે મને તેના સામે મદદ કરે ? તમે તો મારા નુકસાનમાં જ વધારો કરી રહ્યા છો.
(૬૪) અને હે મારી કોમના લોકો! આ અલ્લાહની મોકલેલ ઊંટણી છે જે તમારા માટે એક નિશાની છે, હવે તમે તેને અલ્લાહની ધરતી પર ચરવા માટે છોડી દો અને તેને કોઈ પ્રકારની તકલીફ પહોંચાડતા નહિં, નહિતર જલદી તમને અઝાબ પકડી લેશે.”[1]
(૬૫) પછી પણ તે લોકોએ ઊંટણીના પગ કાપીને (મારી નાખી) તેના ઉપર સાલેહે કહ્યું, “સારૂ, તો તમે પોતાના ઘરોમાં ત્રણ દિવસ સુધી રહી લો, આ વાયદો જૂઠો નથી.”
(૬૬) પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, અને સાલેહ અને તેમના ઉપર ઈમાન લાવનારાઓને પોતાની કૃપાથી તેનાથી પણ બચાવી લીધા અને તે દિવસના અપમાનથી પણ, બૈશક તમારો રબ તાકાતવાળો અને જબરદસ્ત છે.
(૬૭) અને જાલિમોને ઘણા તીવ્ર ધડાકાએ ઝડપી લીધા પછી તેઓ પોતાના ઘરોમાં ઊંધા માથે મરી પડેલા રહી ગયા.
(૬૮) એવી રીતે કે જાણે કે ત્યાં કદી વસ્યા જ ન હતા, હોંશિયાર રહો કે સમૂદની કોમે પોતાના રબ સાથે કુફ્ર કર્યુ, સાંભળી લો! તે સમૂદવાળાઓ ઉપર લા'નત છે. (ع-૬)