(૧૨૮) અને જે દિવસે (અલ્લાહ) સૌને જમા કરશે (અને કહેશે), “હે જિન્નાતોના જૂથ! તમે મનુષ્યોમાંથી ઘણું અપનાવી લીધુ" અને મનુષ્યોમાંથી તેમના દોસ્ત કહેશે, “અય અમારા રબ! અમને પરસ્પર ફયદો પહોંચ્યો, અને અમે તારા નિર્ધારીત કરેલ સમય સુધી પહોંચી ગયા જેને તેં અમારા માટે ઠેરવી દીધો હતો." (અલ્લાહ) ફરમાવશે કે, “તમારૂ ઠેકાણું જહન્નમ છે, જેમાં તમે હંમેશા રહેશો." પરંતુ જેને અલ્લાહ ચાહે, બેશક તમારો રબ હિકમતવાળો ઈલ્મવાળો છે.