Surah Ar-Rum

સૂરહ અર્-રૂમ

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

الٓمّٓۚ (1)

(૧) અલિફ. લામ. મીમ.


غُلِبَتِ الرُّوْمُۙ (2)

(૨) રોમન પરાજિત થઈ ગયા.


فِیْۤ اَدْنَى الْاَرْضِ وَ هُمْ مِّنْۢ بَعْدِ غَلَبِهِمْ سَیَغْلِبُوْنَۙ (3)

(૩) નજીકની ધરતી પર અને તેઓ પરાજિત થયા પછી નજીકના ભવિષ્યમાં વિજયી થઈ જશે.


فِیْ بِضْعِ سِنِیْنَ { ؕ ٥} لِلّٰهِ الْاَمْرُ مِنْ قَبْلُ وَ مِنْۢ بَعْدُ ؕ وَ یَوْمَئِذٍ یَّفْرَحُ الْمُؤْمِنُوْنَۙ (4)

(૪) થોડા જ વર્ષોમાં, આના પહેલા અને આના પછી પણ અલ્લાહનો જ અધિકાર છે, અને તે દિવસે મુસલમાનો રાજી હશે.


بِنَصْرِ اللّٰهِ ؕ یَنْصُرُ مَنْ یَّشَآءُ ؕ وَ هُوَ الْعَزِیْزُ الرَّحِیْمُۙ (5)

(૫) અલ્લાહ (તઆલા)ની મદદથી, તે જેની ચાહે છે મદદ કરે છે અને તે જ પ્રભુત્વશાળી અને દયાળુ છે.


وَعْدَ اللّٰهِ ؕ لَا یُخْلِفُ اللّٰهُ وَعْدَهٗ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ (6)

(૬) અલ્લાહનો વાયદો છે, અલ્લાહ (તઆલા) પોતાના વાયદાનો ભંગ કરતો નથી, પરંતુ ઘણાખરાં લોકો જાણતા નથી.


یَعْلَمُوْنَ ظَاهِرًا مِّنَ الْحَیٰوةِ الدُّنْیَا ۖۚ وَ هُمْ عَنِ الْاٰخِرَةِ هُمْ غٰفِلُوْنَ (7)

(૭) લોકો તો (ફક્ત) દુનિયાની જિંદગીના બાહ્ય સ્વરૂપને જાણે છે અને આખિરતથી તો બિલકુલ બેખબર છે.


اَوَ لَمْ یَتَفَكَّرُوْا فِیْۤ اَنْفُسِهِمْ {قف} مَا خَلَقَ اللّٰهُ السَّمٰوٰتِ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَ اَجَلٍ مُّسَمًّى ؕ وَ اِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكٰفِرُوْنَ (8)

(૮) શું તે લોકોએ પોતાના મનમાં એ વિચાર નથી કર્યો કે અલ્લાહ (તઆલા) એ આકાશો અને ધરતી અને તેમના વચ્ચે જે કંઈ છે તે બધાને બહેતર અનુમાનથી નિશ્ચિત સમય માટે જ પેદા કર્યા છે ? હાં, પરંતુ મોટાભાગના લોકો પોતાના રબની મુલાકાતનો ઈન્કાર કરે છે.


اَوَ لَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ كَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّ اَثَارُوا الْاَرْضَ وَ عَمَرُوْهَاۤ اَكْثَرَ مِمَّا عَمَرُوْهَا وَ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ؕ فَمَا كَانَ اللّٰهُ لِیَظْلِمَهُمْ وَ لٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَؕ (9)

(૯) શું તેમણે ધરતી પર હરીફરીને નથી જોયું કે તેમનાથી પહેલાના લોકોનું પરિણામ કેવું આવ્યું ? તેઓ તેમનાથી વધારે શક્તિશાળી હતા, અને તેમણે પણ ધરતી પર ખેતીવાડી કરી હતી અને તેમનાથી વધારે વસ્તી આબાદ કરી હતી. તેમના પાસે તેમના રસૂલ ચમત્કાર લઈને આવ્યા હતા, એ તો અશક્ય હતું કે અલ્લાહ તેમના ઉપર જુલમ કરતો, પરંતુ (હકીકતમાં) તેઓ પોતે જ પોતાના ઉપર જુલમ કરતા હતા.


ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِیْنَ اَسَآءُوا السُّوْٓاٰۤى اَنْ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ وَ كَانُوْا بِهَا یَسْتَهْزِءُوْنَ ۧ (10)

(૧૦) છેવટે બૂરા લોકોનો અંજામ પણ બૂરો આવ્યો, કેમ કે તેઓ અલ્લાહની આયતોને ખોટી ઠેરવતા હતા અને તેનો મજાક ઉડાવતા હતા. (ع-)