Surah An-Nahl

સૂર અન્-નહલ

રૂકૂઅ : ૭

આયત ૫૧ થી ૬૦

وَ قَالَ اللّٰهُ لَا تَتَّخِذُوْۤا اِلٰهَیْنِ اثْنَیْنِ ۚ اِنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ ۚ فَاِیَّایَ فَارْهَبُوْنِ (51)

(૫૧) અને અલ્લાહ (તઆલા) કહી ચૂક્યો છે કે, “બે મા'બૂદ ન બનાવો, મા'બૂદ તો ફક્ત એક જ છે, બસ તમે બધા ફક્ત મારો જ ડર રાખો.”


وَ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ لَهُ الدِّیْنُ وَاصِبًا ؕ اَفَغَیْرَ اللّٰهِ تَتَّقُوْنَ (52)

(૫૨) અને આકાશોમાં અને ધરતીમાં જે કંઈ છે બધું તેનું જ છે અને તેની જ બંદગી હંમેશા અનિવાર્ય (ફર્ઝ) છે શું પછી પણ તમે તેના સિવાય બીજાઓથી ડરો છો ?


وَ مَا بِكُمْ مِّنْ نِّعْمَةٍ فَمِنَ اللّٰهِ ثُمَّ اِذَا مَسَّكُمُ الضُّرُّ فَاِلَیْهِ تَجْئَرُوْنَۚ (53)

(૫૩) અને તમારા પાસે જેટલી પણ ને'મત છે બધી તેની જઆપેલી છે હજુ પણ જો તમને કોઈ મુસીબત આવી જાય તો તેના તરફ દુઆ અને વિનંતી કરતા રહો.


ثُمَّ اِذَا كَشَفَ الضُّرَّ عَنْكُمْ اِذَا فَرِیْقٌ مِّنْكُمْ بِرَبِّهِمْ یُشْرِكُوْنَۙ (54)

(૫૪) અને જ્યાં તેણે તે મુસીબત તમારાથી દૂર કરી દીધી, તો તમારામાંથી કેટલાક લોકો પોતાના રબ સાથે બીજાઓને ભાગીદાર બનાવવા લાગે છે.


لِیَكْفُرُوْا بِمَاۤ اٰتَیْنٰهُمْ ؕ فَتَمَتَّعُوْا قف فَسَوْفَ تَعْلَمُوْنَ (55)

(૫૫) કે અમારી આપેલ ને'મતોની નાશુક્રી કરે, (ઠીક છે) થોડો ફાયદો ઉઠાવી લો, છેવટે તમને જાણ થઈ જશે


وَ یَجْعَلُوْنَ لِمَا لَا یَعْلَمُوْنَ نَصِیْبًا مِّمَّا رَزَقْنٰهُمْ ؕ تَاللّٰهِ لَتُسْئَلُنَّ عَمَّا كُنْتُمْ تَفْتَرُوْنَ (56)

(૫૬) અને જેને જાણતાં-પરખતાં પણ નથી તેનો હિસ્સો અમારી આપેલ વસ્તુઓમાંથી નક્કી કરે છે, અલ્લાહની કસમ! તમારા આ આરોપ વિશે તમારાથી જરૂર પ્રશ્ન કરવામાં આવશે.


وَ یَجْعَلُوْنَ لِلّٰهِ الْبَنٰتِ سُبْحٰنَهٗ ۙ وَ لَهُمْ مَّا یَشْتَهُوْنَ (57)

(૫૭) અને તે પવિત્ર અલ્લાહ (તઆલા) ના માટે પુત્રીઓ નિર્ધારિત કરે છે અને પોતાના માટે તે જે પોતાની ઈચ્છા મુજબ હોય


وَ اِذَا بُشِّرَ اَحَدُهُمْ بِالْاُنْثٰى ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّ هُوَ كَظِیْمٌۚ (58)

(૫૮) અને તેમનામાંથી જ્યારે કોઈને પુત્રીના જન્મની ખબર આપવામાં આવે છે તો તેના મોઢા પર કાલિમા છવાઈ જાય છે અને દિલમાં ને દિલમાં ઘોટાવા લાગે છે.


یَتَوَارٰى مِنَ الْقَوْمِ مِنْ سُوْٓءِ مَا بُشِّرَ بِهٖ ؕ اَیُمْسِكُهٗ عَلٰى هُوْنٍ اَمْ یَدُسُّهٗ فِی التُّرَابِ ؕ اَلَا سَآءَ مَا یَحْكُمُوْنَ (59)

(૫૯) આ બૂરી ખબરના કારણે લોકોથી છૂપાતો ફરે છે, વિચારે છે કે શું આ અપમાનના સાથે જ રહે અથવા તેને માટીમાં દાટી દે ? આહ! કેવા બૂરા નિર્ણયો કરે છે ?


لِلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ مَثَلُ السَّوْءِ ۚ وَ لِلّٰهِ الْمَثَلُ الْاَعْلٰى ؕ وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۧ (60)

(૬૦) આખિરત પર ઈમાન ન રાખનારાઓ માટે જ ખરાબ દષ્ટાંત છે અલ્લાહના માટે તો ઘણાં શ્રેઠ ગુણો છે તે મોટો પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે. (ع-)