Surah Yusuf

સૂરહ યૂસુફ

રૂકૂઅ : ૫

આયત ૩૬ થી ૪૨

وَ دَخَلَ مَعَهُ السِّجْنَ فَتَیٰنِ ؕ قَالَ اَحَدُهُمَاۤ اِنِّیْۤ اَرٰىنِیْۤ اَعْصِرُ خَمْرًا ۚ وَ قَالَ الْاٰخَرُ اِنِّیْۤ اَرٰىنِیْۤ اَحْمِلُ فَوْقَ رَاْسِیْ خُبْزًا تَاْكُلُ الطَّیْرُ مِنْهُ ؕ نَبِّئْنَا بِتَاْوِیْلِهٖ ۚ اِنَّا نَرٰىكَ مِنَ الْمُحْسِنِیْنَ (36)

(૩૬) અને તેમના સાથે બીજા બે યુવાનો જેલમાં આવ્યા, તેમનામાંથી એકે કહ્યું કે મેં સ્વપ્નમાં પોતાની જાતને દારૂ ગાળતો જોયો છે, અને બીજાએ કહ્યું કે મેં પોતાની જાતને જોઈ કે હું પોતાના માથા ઉપર રોટલા ઉપાડેલ છું જેને પક્ષીઓ ખાઈ રહ્યા છે તમે અમને આનું સ્વપ્નફળ બતાવો, અમને તો તમે નેક વ્યક્તિ માલુમ પડો છો.


قَالَ لَا یَاْتِیْكُمَا طَعَامٌ تُرْزَقٰنِهٖۤ اِلَّا نَبَّاْتُكُمَا بِتَاْوِیْلِهٖ قَبْلَ اَنْ یَّاْتِیَكُمَا ؕ ذٰلِكُمَا مِمَّا عَلَّمَنِیْ رَبِّیْ ؕ اِنِّیْ تَرَكْتُ مِلَّةَ قَوْمٍ لَّا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ هُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ (37)

(૩૭) (યૂસુફે) કહ્યું કે, “તમને જે ખાવાનું આપવામાં આવે છે તે તમારા સુધી પહોંચે તે પહેલા જ હું તમને તેનું સ્વપ્નફળ બતાવી દઈશ. આ બધું તે ઈલ્મના પરિણામે છે જે મારા રબે મને શિખવ્યું છે. મે તે લોકોનો ધર્મ છોડી દીધો છે જેઓ અલ્લાહ ઉપર ઈમાન નથી ધરાવતા અને આખિરત પણ કબૂલ નથી કરતા.


وَ اتَّبَعْتُ مِلَّةَ اٰبَآءِیْۤ اِبْرٰهِیْمَ وَ اِسْحٰقَ وَ یَعْقُوْبَ ؕ مَا كَانَ لَنَاۤ اَنْ نُّشْرِكَ بِاللّٰهِ مِنْ شَیْءٍ ؕ ذٰلِكَ مِنْ فَضْلِ اللّٰهِ عَلَیْنَا وَ عَلَى النَّاسِ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ (38)

(૩૮) હું મારા પિતા અને પૂર્વજોના ધર્મનો અનુયાયી છું એટલે કે ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના ધર્મનો, અમને કદી પણ એ કબૂલ નથી કે અમે અલ્લાહના સાથે કોઈને પણ ભાગીદાર ઠેરવીએ, અમારા ઉપર અને બીજા તમામ લોકો ઉપર અલ્લાહ (તઆલા)ની આ ખાસ કૃપા છે પરંતુ મોટાભાગના લોકો આભારી થતા નથી.


یٰصَاحِبَیِ السِّجْنِ ءَاَرْبَابٌ مُّتَفَرِّقُوْنَ خَیْرٌ اَمِ اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُؕ (39)

(૩૯) હે મારા જેલના સાથીઓ ! શું ઘણા પ્રકારના ઘણા દેવતાઓ સારા છે કે એક અલ્લાહ જબરદસ્ત તાકતવર ?


مَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اَسْمَآءً سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَ اٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِ ؕ اَمَرَ اَلَّا تَعْبُدُوْۤا اِلَّاۤ اِیَّاهُ ؕ ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ (40)

(૪૦) તેના સિવાય જેની તમે બંદગી કરી રહ્યા છો તે બધા નામના જ છે જે તમે અને તમારા પૂર્વજોએ જાતે ઘડી લીધા છે અલ્લાહ (તઆલા) એ તેમનું કોઈ સબૂત નથી ઉતાર્યુ ફેંસલો કરવો અલ્લાહનું જ કામ છે, તેનો હુકમ છે કે તેના સિવાય તમે કોઈની બંદગી ન કરો, આ જ સાચો ધર્મ છે, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી.


یٰصَاحِبَیِ السِّجْنِ اَمَّاۤ اَحَدُكُمَا فَیَسْقِیْ رَبَّهٗ خَمْرًا ۚ وَ اَمَّا الْاٰخَرُ فَیُصْلَبُ فَتَاْكُلُ الطَّیْرُ مِنْ رَّاْسِهٖ ؕ قُضِیَ الْاَمْرُ الَّذِیْ فِیْهِ تَسْتَفْتِیٰنِؕ (41)

(૪૧) હે મારા જેલના સાથીઓ! તમારા બંનેમાંથી એક તો રાજાને શરાબ પીવડાવવા માટે નિયુક્ત થશે પરંતુ બીજાને ફાંસી આપવામાં આવશે અને પક્ષી તેના માથાને ચૂંથી ખાશે. તમે બંને જેના વિષે પૂછતા હતા તેનો ફેંસલો થઈ ગયો.


وَ قَالَ لِلَّذِیْ ظَنَّ اَنَّهٗ نَاجٍ مِّنْهُمَا اذْكُرْنِیْ عِنْدَ رَبِّكَ ز فَاَنْسٰىهُ الشَّیْطٰنُ ذِكْرَ رَبِّهٖ فَلَبِثَ فِی السِّجْنِ بِضْعَ سِنِیْنَؕ ۧ (42)

(૪૨) અને જેના વિશે યૂસુફ નો ખયાલ હતો કે આ બંનેમાંથી જે છૂટી જશે તેને કહ્યું કે પોતાના રાજાને મારી વાત પણ કહી દેજે, પછી શેતાને તેને પોતાના રાજાને કહેવાનું ભૂલાવી દીધુ અને યૂસુફે કેટલાય વર્ષ જેલમાં પસાર કર્યાં. (ع-)