(૧૩૫) અય ઈમાનવાળાઓ! ન્યાય પર મજબૂત રહેનારા અને અલ્લાહ માટે સાચી ગવાહી આપનારા બની જાઓ, ભલે તે તમારા પોતાના અને માતાપિતાના અને રિશ્તેદારો ના વિરુદ્ધ હોય, જો તે વ્યક્તિ ધનવાન હોય તો અથવા ગરીબ હોય તો તે બંને કરતા અલ્લાહનો સંબંધ વધારે છે, એટલા માટે ન્યાય કરવામાં મનમાની ન કરો અને જો ખોટું નિવેદન આપશો અથવા નહિ માનો તો અલ્લાહ તમારા કાર્યોથી વાકેફ છે.