Surah Al-Mu'min
સૂર અલ-મુ'મિન
સૂર અલ-મુ'મિન
اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَ الَّذِیْنَ اٰمَنُوْا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ یَوْمَ یَقُوْمُ الْاَشْهَادُ ۙ (51)
(૫૧) વિશ્વાસ રાખો કે અમે અમારા રસૂલોની અને ઈમાનવાળાઓની દુનિયાના જીવનમાં પણ મદદ કરીશું અને તે દિવસે પણ જયારે ગવાહી આપનારા ઊભા હશે.
یَوْمَ لَا یَنْفَعُ الظّٰلِمِیْنَ مَعْذِرَتُهُمْ وَ لَهُمُ اللَّعْنَةُ وَ لَهُمْ سُوْٓءُ الدَّارِ (52)
(૫૨) જે દિવસે જાલિમોની વિવશતા કશું ફાયદો નહિ આપે અને તેમના માટે ફિટકાર જ હશે અને તેમના માટે ખરાબ ઠેકાણું હશે.
وَ لَقَدْ اٰتَیْنَا مُوْسَى الْهُدٰى وَ اَوْرَثْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ ۙ (53)
(૫૩) અને અમે મૂસાને હિદાયત આપી અને ઈસરાઈલની સંતાનને તે કિતાબના વારસદાર બનાવ્યા.
هُدًى وَّ ذِكْرٰى لِاُولِی الْاَلْبَابِ (54)
(૫૪) કે તે બુદ્ધિશાળી લોકોના માટે હિદાયત અને નસીહત હતી.
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّ اسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَ سَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِیِّ وَ الْاِبْكَارِ (55)
(૫૫) તો (હે નબી!) તમે સબ્ર કરો, બેશક અલ્લાહનો વાયદો સાચો જ છે તમે પોતાના ગુનાહોની માફી માંગતા રહો, અને સવાર-સાંજ પોતાના રબની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો.
اِنَّ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ۙ اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِیْهِ ۚ فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ (56)
(૫૬) બેશક જે લોકો પોતાના પાસે કોઈ દલીલ ન હોવા છતાં પણ અલ્લાહની આયતોમાં ઝઘડે છે, તેમના દિલોમાં અહંકાર સિવાય બીજુ કંઈ નથી પરંતુ તેઓ આ મોટાઈ સુધી પહોંચવાના નથી, તો તમે અલ્લાહની પનાહ માંગતા રહો, બેશક તે બધું જ સાંભળવાવાળો અને બધાથી વધારે જોવાવાળો છે.
لَخَلْقُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ (57)
(૫૭) આકાશો અને ધરતીની પેદાઈશ બેશક મનુષ્યોની પેદાઈશ કરતા પણ વધારે મોટુ કામ છે, પરંતુ (એ વાત અલગ છે કે) મોટા ભાગના લોકો જાણતા નથી.
وَ مَا یَسْتَوِی الْاَعْمٰى وَ الْبَصِیْرُ { ۙ٥} وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ لَا الْمُسِیْٓءُ ؕ قَلِیْلًا مَّا تَتَذَكَّرُوْنَ (58)
(૫૮) અને આંધળો અને આંખોવાળો (બંને) સમાન નથી, ન તે લોકો જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા ગુનેહગારોના (સમાન છે). તમે ખૂબ જ ઓછી નસીહત પ્રાપ્ત કરી રહ્યા છો.
اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ (59)
(૫૯) કયામત ચોક્કસપણે આવનારી છે પરંતુ (એ વાત અલગ છે કે) ઘણાં ખરા લોકો ઈમાન લાવતા નથી.
وَ قَالَ رَبُّكُمُ ادْعُوْنِیْۤ اَسْتَجِبْ لَكُمْ ؕ اِنَّ الَّذِیْنَ یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِیْ سَیَدْخُلُوْنَ جَهَنَّمَ دٰخِرِیْنَ ۧ (60)
(૬૦) અને મારા રબનો હુકમ (લાગુ થઈ ચૂક્યો) છે કે, “મારાથી દુઆ કરો હું તમારી દુઆઓ કબૂલ કરીશ, વિશ્વાસ રાખો કે જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે તેઓ જલ્દી અપમાનિત થઈને જહન્નમમાં પહોંચી જશે.” (ع-૬)