Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૬

આયત ૫૫ થી ૬૩


إِذْ قَالَ اللَّهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ (55)

(૫૫) જયારે અલ્લાહ (તઆલા)એ ફરમાવ્યું, હે ઈસા! હું તને પૂરી રીતે લેવાવાળો છું, અને તને પોતાની તરફ ઉઠાવવાનો છું, અને તને કાફિરોથી પવિત્ર કરવાનો છું, અને તારા પેરોકારોને કાફિરોથી કયામતના દિવસ સુધી ઉપર રાખવાવાળો છું, પછી તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, હું જ તમારા વચ્ચે તમામ મતભેદોનો ફેંસલો કરીશ.


فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ (56)

(૫૬) પછી કાફિરોને તો હું આ દુનિયા અને આખિરતમાં સખત અઝાબ આપીશ અને તેમનો કોઈ મદદગાર નહિં હોય.

وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ (57)

(૫૭) પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો.


ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ (58)

(૫૮) આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે.


إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ (59)

(૫૯) અલ્લાહ (તઆલા)ની નજદીક ઈસાનું દૃષ્ટાંત આદમની જેમ છે, જેને માટીથી પેદા કરીને કહી દીધું કે થઈ જા, બસ તે થઈ ગયો.


الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ (60)

(૬૦) તમારા રબના તરફથી સત્ય આ જ છે, ખબરદાર! શંકા કરનારાઓમાંથી ન થશો.


فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ (61)

(૬૧) એટલા માટે જે પણ તમારા પાસે આ ઈલ્મના આવી ગયા પછી પણ તમારાથી તેમાં ઝધડે તો તમે કહી દો કે, “આવો, અમે અને તમે પોતપોતાના પુત્રોને, અને અમે અને તમે પોતાની પત્નીઓને, અને અમે અને તમે પોતે પોતાને બોલાવી લઈએ પછી આપણે મળીને દુઆ કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની ફિટકાર મોકલીએ.


إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ (62)

(૬૨) બેશક ફક્ત આ જ સાચું વર્ણન છે અને અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજો બંદગીને લાયક નથી, અને બેશક અલ્લાહ શક્તિશાળી અને હિકમતવાળો છે.


فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ (63)

(૬૩) પછી પણ જો તેઓ કબૂલ ન કરે તો અલ્લાહ (તઆલા) પણ બગાડ ફેલાવનારાઓને સારી રીતે જાણનાર છે.