Surah Ash-Shur'ara

સૂરહ અસ્-શુઅરા

રૂકૂઅ : ૧૧

આયત ૧૯૨ થી ૨૨૭

وَ اِنَّهٗ لَتَنْزِیْلُ رَبِّ الْعٰلَمِیْنَؕ (192)

(૧૯૨) બેશક આ (કુરઆન) સમગ્ર દુનિયાના રબનું ઉતારેલ છે.


نَزَلَ بِهِ الرُّوْحُ الْاَمِیْنُۙ (193)

(૧૯૩) અને અમાનતદાર ફરિશ્તો લઈને આવ્યો છે.


عَلٰى قَلْبِكَ لِتَكُوْنَ مِنَ الْمُنْذِرِیْنَ (194)

(૧૯૪) તમારા દિલ પર (ઉતાર્યુ છે) કે તમે સચેત કરનારાઓમાંથી થઈ જાઓ.


بِلِسَانٍ عَرَبِیٍّ مُّبِیْنٍؕ (195)

(૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.


وَ اِنَّهٗ لَفِیْ زُبُرِ الْاَوَّلِیْنَ (196)

(૧૯૬) અને આગળના નબીઓની કિતાબોમાં પણ આ (કુરઆન) ની ચર્ચા છે.


اَوَ لَمْ یَكُنْ لَّهُمْ اٰیَةً اَنْ یَّعْلَمَهٗ عُلَمٰٓؤُا بَنِیْۤ اِسْرَآءِیْلَؕ (197)

(૧૯૭) શું આ લોકો માટે આ નિશાની પૂરતી નથી કે આને (કુરઆનની સચ્ચાઈને) તો ઈસરાઈલની સંતાનના વિદ્વાનો પણ જાણે છે ?


وَ لَوْ نَزَّلْنٰهُ عَلٰى بَعْضِ الْاَعْجَمِیْنَۙ (198)

(૧૯૮) અને જો અમે આને (અરબી ભાષા સિવાય) કોઈ અજમી પર ઉતારતા.


فَقَرَاَهٗ عَلَیْهِمْ مَّا كَانُوْا بِهٖ مُؤْمِنِیْنَؕ (199)

(૧૯૯) તો તે તેમના સામે વાંચીને સંભળાવતો તો પણ આ લોકો તેને ન માનતા.


كَذٰلِكَ سَلَكْنٰهُ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَؕ (200)

(૨૦૦) આવી જ રીતે અમે ગુનેહગારોના દિલોમાં (ઈન્કારને) દાખલ કરી દીધો છે.


لَا یُؤْمِنُوْنَ بِهٖ حَتّٰى یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَۙ (201)

(૨૦૧) તેઓ જ્યાં સુધી દુઃખદાયી અઝાબને જોઈ ન લે ત્યાં સુધી ઈમાન નહિ લાવે.


فَیَاْتِیَهُمْ بَغْتَةً وَّ هُمْ لَا یَشْعُرُوْنَۙ (202)

(૨૦૨) એટલા માટે તે (અઝાબ) અચાનક આવશે અને તેમને તેનો અંદાજો પણ નહિ હોય.


فَیَقُوْلُوْا هَلْ نَحْنُ مُنْظَرُوْنَؕ (203)

(૨૦૩) તે સમયે કહેશે કે, “શું અમને થોડી મહેતલ આપવામાં આવશે?”


اَفَبِعَذَابِنَا یَسْتَعْجِلُوْنَ (204)

(૨૦૪) તો શું આ લોકો અમારા અઝાબની જલ્દી મચાવી રહ્યા છે ?


اَفَرَءَیْتَ اِنْ مَّتَّعْنٰهُمْ سِنِیْنَۙ (205)

(૨૦૫) સારુ, એ પણ બતાવો, કે જો અમે તેમને વર્ષો સુધી ફાયદો ઉઠાવવા દીધો.


ثُمَّ جَآءَهُمْ مَّا كَانُوْا یُوْعَدُوْنَۙ (206)

(૨૦૬) પછી તેમના ઉપર તે (અઝાબ) આવી પહોંચ્યો જેનાથી તેમને ડરાવવામાં આવતા હતા.


مَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا یُمَتَّعُوْنَؕ (207)

(૨૦૭) તો જે કંઈ પણ ફાયદાઓ આપવામાં આવતા રહ્યા તેમાંથી કશું પણ તેમને કામ નહિ આવી શકે.


وَ مَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا لَهَا مُنْذِرُوْنَ ۛۖق(208)

(૨૦૮) અને અમે કોઈ વસ્તીને બરબાદ નથી કરી, પરંતુ એ હાલતમાં કે તેના માટે ડરાવનારા હતા.


ذِكْرٰى{ ۛقف} وَ مَا كُنَّا ظٰلِمِیْنَ (209)

(૨૦૯) શિખામણના સ્વરૂપમાં, અને અમે જુલમ કરવાવાળા નથી.


وَ مَا تَنَزَّلَتْ بِهِ الشَّیٰطِیْنُ (210)

(૨૧૦) અને આ (કુરઆન)ને શેતાન નથી લાવ્યા.


وَ مَا یَنْۢبَغِیْ لَهُمْ وَ مَا یَسْتَطِیْعُوْنَؕ (211)

(૨૧૧) અને ન તેઓ આને લાયક છે, ન તેઓને આની તાકાત છે.


اِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُوْلُوْنَؕ (212)

(૨૧૨) પરંતુ તેઓ તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા છે.


فَلَا تَدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتَكُوْنَ مِنَ الْمُعَذَّبِیْنَۚ (213)

(૨૧૩) એટલા માટે તમે અલ્લાહ સાથે કોઈ બીજા મા'બૂદોને ન પોકારો, નહિં તો તમે પણ સજા પામનારાઓમાં સામેલ થઈ જશો.


وَ اَنْذِرْ عَشِیْرَتَكَ الْاَقْرَبِیْنَۙ (214)

(૨૧૪) અને પોતાના નજીકના રિશ્તેદારોને ડરાવી દો.


وَ اخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِیْنَۚ (215)

(૨૧૫) જે લોકો પણ ઈમાન લાવનાર બનીને તમારા તાબે થઈ જાય, તેમના સાથે વિનમ્રતાનો વ્યવહાર કરો.


فَاِنْ عَصَوْكَ فَقُلْ اِنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تَعْمَلُوْنَۚ (216)

(૨૧૬) જો આ લોકો તમારી નાફરમાની કરે તો તમે એલાન કરી દો કે હું આ કામોથી અલગ છું જે તમે કરી રહ્યા છો.


وَ تَوَكَّلْ عَلَى الْعَزِیْزِ الرَّحِیْمِۙ (217)

(૨૧૭) પોતાનો સંપુર્ણ ભરોસો પ્રભુત્વશાળી અને દયાળુ અલ્લાહ પર રાખો.


الَّذِیْ یَرٰىكَ حِیْنَ تَقُوْمُۙ (218)

(૨૧૮) જે તમને જોઈ રહ્યો છે જયારે કે તમે ઉઠો છો.


وَ تَقَلُّبَكَ فِی السّٰجِدِیْنَ (219)

(૨૧૯) અને સિજદો કરનારાઓના વચ્ચે તમારું હરવું-ફરવું પણ.


اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ (220)

(૨૨૦) બેશક તે ઘણો સાંભળનાર અને જાણનાર છે.


هَلْ اُنَبِّئُكُمْ عَلٰى مَنْ تَنَزَّلُ الشَّیٰطِیْنُؕ (221)

(૨૨૧) શું હું તમને બતાવું કે શેતાનો કોના ઉપર ઉતરે છે ?


تَنَزَّلُ عَلٰى كُلِّ اَفَّاكٍ اَثِیْمٍۙ (222)

(૨૨૨) તે દરેક જૂઠા ગુનેહગારો ઉપર ઉતરે છે.


یُّلْقُوْنَ السَّمْعَ وَ اَكْثَرُهُمْ كٰذِبُوْنَؕ (223)

(૨૨૩) તેઓ (કાન) લગાવીને સાંભળેલી વાતો પહોંચાડી દે છે અને તેમનામાંથી મોટા ભાગના જૂઠા છે.


وَ الشُّعَرَآءُ یَتَّبِعُهُمُ الْغَاوٗنَؕ (224)

(૨૨૪) અને કવિઓનું અનુસરણ તે જ લોકો કરે છે જેઓ ભટકેલા છે.


اَلَمْ تَرَ اَنَّهُمْ فِیْ كُلِّ وَادٍ یَّهِیْمُوْنَۙ (225)

(૨૨૫) શું તમે નથી જોતા કે કવિ દરેક ખીણમાં માથું ટકરાવતા ફરે છે.


وَ اَنَّهُمْ یَقُوْلُوْنَ مَا لَا یَفْعَلُوْنَۙ (226)

(૨૨૬) અને તેઓ જે કહે છે તે કરતા નથી.


اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ ذَكَرُوا اللّٰهَ كَثِیْرًا وَّ انْتَصَرُوْا مِنْۢ بَعْدِ مَا ظُلِمُوْا ؕ وَ سَیَعْلَمُ الَّذِیْنَ ظَلَمُوْۤا اَیَّ مُنْقَلَبٍ یَّنْقَلِبُوْنَ ۧ (227)

(૨૨૭) સિવાય તેમના જેઓ ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા અને અલ્લાહ (તઆલા))ની પ્રશંસાનું પુષ્કળ વર્ણન કર્યુ અને પોતાના ઉપરના જુલમ પછી બદલો લીધો, અને જેમણે જુલમ કર્યુ છે તેઓ હમણાં જાણી લેશે કે કયા પડખે પલ્ટે છે. (ع-૧૧)