Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૨

આયત ૧૦ થી ૨૦


إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ هُمْ وَقُودُ النَّارِ (10)

(૧૦) કાફિરોને તેમનો માલ અને તેમની સંતાનો અલ્લાહ (તઆલા)ના અઝાબોથી છોડાવવામાં કોઈ કામ નહિં આવી શકે, તેઓ તો જહન્નમનું બળતણ જ છે.


كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِنَا فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ (11)

(૧૧) જેવો કે ફિરઔનની સંતાનો ની સ્થિતિ થઈ અને તેમનો જેઓ તેમના પહેલા હતા, તેઓએ અમારી નિશાનીઓને જૂઠાડી (નકારી), પછી અલ્લાહ (તઆલા)એ તેમને તેમના ગુનાહો પર પકડી લીધા અને અલ્લાહ (તઆલા) સખત સજા આપનાર છે.


قُل لِّلَّذِينَ كَفَرُوا سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ الْمِهَادُ (12)

(૧૨) કાફિરોને કહી દો કે તમે લોકો નજીકના ભવિષ્યમાં પરાજિત કરવામાં આવશો. અને જહન્નમ તરફ જમા કરવામાં આવશો અને તે ખરાબ પાથરણું છે.


قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا ۖ فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ اللَّهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْيَ الْعَيْنِ ۚ وَاللَّهُ يُؤَيِّدُ بِنَصْرِهِ مَن يَشَاءُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ (13)

(૧૩) બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી, એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે.


زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَاللَّهُ عِندَهُ حُسْنُ الْمَآبِ (14)

(૧૪) પસંદગીની વસ્તુઓની મોહબ્બત લોકો માટે લોભામણી બનાવી દેવામાં આવી છે, જેવી કે સ્ત્રીઓ અને બાળકો, સોના-ચાંદીના જમા કરેલ ખજાનાઓ અને નિશાની કરેલ ઘોડાઓ અને ચોપાયાં અને ખેતી, આ દુનિયાની જિંદગીનો સામાન છે, અને પાછા ફરવાનું સારું ઠેકાણું તો અલ્લાહ (તઆલા) પાસે જ છે.


قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ (15)

(૧૫) તમે કહી દો કે શું હું તમને તેનાથી બહેતર વસ્તુ બતાવું ? અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે જન્નત છે જેની નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને પવિત્ર પત્નીઓ અને અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા છે અને બધા બંદાઓ અલ્લાહ (તઆલા)ની નજરમાં છે.


الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ (16)

(૧૬) જેઓ કહે છે કે અય અમારા રબ! અમે ઈમાન લાવી ચૂક્યા, એટલા માટે અમારા ગુનાહોને માફ કરી દે અને અમને આગના અઝાબથી બચાવ.


الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ (17)

(૧૭) જેઓ સબ્ર કરવાવાળા અને સાચા અને ફરમાબરદાર અને અલ્લાહના માર્ગમાં માલ ખર્ચ કરવાવાળા છે અને રાત્રિના પાછલા હિસ્સામાં (મોક્ષ પ્રાપ્ત કરવાની કામના માટે) તૌબા (ક્ષમા-યાચના) કરવાવાળા છે.


شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ (18)

(૧૮) અલ્લાહે, તેના ફરિશ્તાઓએ અને આલિમોએ ગવાહી આપી છે કે અલ્લાહના સિવાય કોઈ માઅબૂદ નથી, તે ન્યાયને કાયમ રાખવાવાળો છે, તે જ જબરદસ્ત હિકમતવાળો છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી.


إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ (19)

(૧૯) બેશક અલ્લાહની નજીદીક ધર્મ ઈસ્લામ જ છે, અને જેમને કિતાબ આપવામાં આવી તેઓએ ઈલ્મ આવી ગયા પછી પરસ્પર ઈર્ષાના કારણે મતભેદ કર્યો, અને જેઓ અલ્લાહની આયતો (પવિત્ર કુરઆન)ને ન માને તો અલ્લાહ જલ્દી હિસાબ લેશે.


فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ (20)

(૨૦) જો તેઓ તમારાથી ઝઘડો કરે તો તમે કહી દો કે મેં અને મારા પેરોકારોએ પોતાને અલ્લાહના માટે સમર્પિત કરી દીધા અને તમે કિતાબવાળાઓ અને અભણ લોકોને કહો કે “શું તમે ઈસ્લામ લાવ્યા?” જો તેઓ ઈસ્લામને કબૂલ કરે તો સીધો રસ્તો મેળવી લીધો અને જો મોઢું ફેરવે તો તમારે ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ બંદાઓને જોઈ રહ્યો છે.