Surah Yunus

સૂરહ યૂનુસ

રૂકૂઅ : ૮

આયત ૭૧ થી ૮૨

وَ اتْلُ عَلَیْهِمْ نَبَاَ نُوْحٍ ۘ اِذْ قَالَ لِقَوْمِهٖ یٰقَوْمِ اِنْ كَانَ كَبُرَ عَلَیْكُمْ مَّقَامِیْ وَ تَذْكِیْرِیْ بِاٰیٰتِ اللّٰهِ فَعَلَى اللّٰهِ تَوَكَّلْتُ فَاَجْمِعُوْۤا اَمْرَكُمْ وَ شُرَكَآءَكُمْ ثُمَّ لَا یَكُنْ اَمْرُكُمْ عَلَیْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوْۤا اِلَیَّ وَ لَا تُنْظِرُوْنِ (71)

(૭૧) અને તમે તેમને નૂહની ખબર પઢીને સંભળાવો જ્યારે કે તેમણે તેમની કોમથી કહ્યું કે, “હે મારી કોમના લોકો! જો તમને મારૂ રહેવુ અને અલ્લાહના હુકમોની તાલીમ આપવી ભારે લાગે છે તો મારો તો અલ્લાહ ઉપર જ ભરોસો છે, તમે પોતાની યોજના તમારા સાથીઓ સાથે મજબૂત કરી લો, પછી તમારી યોજના તમારા માટે ગભરામણનું કારણ ન બનવી જોઈએ, પછી મારા સાથે કરી ગુજરો અને મને મોકો ન આપો.


فَاِنْ تَوَلَّیْتُمْ فَمَا سَاَلْتُكُمْ مِّنْ اَجْرٍ ؕ اِنْ اَجْرِیَ اِلَّا عَلَى اللّٰهِ ۙ وَ اُمِرْتُ اَنْ اَكُوْنَ مِنَ الْمُسْلِمِیْنَ (72)

(૭૨) પછી પણ તમે મોઢુ ફેરવી લો તો હું તમારા પાસે કોઈ બદલો નથી માંગતો, મારો બદલો તો ફક્ત અલ્લાહ (તઆલા) જ આપશે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હુ મુસલમાન બનીને રહું


فَكَذَّبُوْهُ فَنَجَّیْنٰهُ وَ مَنْ مَّعَهٗ فِی الْفُلْكِ وَ جَعَلْنٰهُمْ خَلٰٓئِفَ وَ اَغْرَقْنَا الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ۚ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُنْذَرِیْنَ (73)

(૭૩) તો તે લોકો તેમને જૂઠાડતા રહ્યા, પછી અમે તેમને અને જે તેમના સાથે નૌકામાં સવાર હતા તેમને મુક્તિ આપી દીધી, અને તેમને વારિસ બનાવ્યા અને જેમણે અમારી આયતોને જૂઠાડી હતી તેમને ડૂબાડી દીધા, તો જોવું જોઈએ શું પરિણામ આવ્યુ તે લોકોનું જેમને ડરાવી ચૂક્યા હતા.


ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهٖ رُسُلًا اِلٰى قَوْمِهِمْ فَجَآءُوْهُمْ بِالْبَیِّنٰتِ فَمَا كَانُوْا لِیُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا بِهٖ مِنْ قَبْلُ ؕ كَذٰلِكَ نَطْبَعُ عَلٰى قُلُوْبِ الْمُعْتَدِیْنَ (74)

(૭૪) તેના (નૂહ ના) પછી અમે બીજા રસૂલોને તેમની કોમો તરફ મોકલ્યા, તો તેઓ તેમના પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ જે વસ્તુને તેમણે પહેલા ખોટી ઠેરવી હતી, એવુ ન થયુ કે પછી તેના પર ઈમાન લઈ આવતા,” અમે આ રીતે હદ વટાવી જનારાઓના દિલો પર મહોર મારી દઈએ છીએ.


ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهِمْ مُّوْسٰى وَ هٰرُوْنَ اِلٰى فِرْعَوْنَ وَ مَلَاۡئِهٖ بِاٰیٰتِنَا فَاسْتَكْبَرُوْا وَ كَانُوْا قَوْمًا مُّجْرِمِیْنَ (75)

(૭૫) ત્યારબાદ અમે તે (પયગંબરો) પછી મૂસા અને હારૂનને ફિરઔન અને તેના સરદારોના પાસે અમારા ચમત્કાર આપીને મોકલ્યા તો તેમણે ઘમંડ કર્યો અને તે ગુનેહગાર કોમ હતી.


فَلَمَّا جَآءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوْۤا اِنَّ هٰذَا لَسِحْرٌ مُّبِیْنٌ (76)

(૭૬) પછી જ્યારે અમારા પાસેથી સત્ય તેમના પાસે પહોંચ્યું તો તે લોકો કહેવા લાગ્યા કે બેશક આ ખુલ્લો જાદૂ છે.


قَالَ مُوْسٰۤى اَتَقُوْلُوْنَ لِلْحَقِّ لَمَّا جَآءَكُمْ ؕ اَسِحْرٌ هٰذَا ؕ وَ لَا یُفْلِحُ السّٰحِرُوْنَ (77)

(૭૭) મૂસાએ ક્હયું કે, “શું તમે આ સત્યના વિશે જ્યારે કે તે તમારા પાસે આવી પહોંચ્યુ છે, એવી વાત કહો છો ? શું આ જાદૂ છે ? જો કે જાદૂગરો કામયાબ નથી થતા.”


قَالُوْۤا اَجِئْتَنَا لِتَلْفِتَنَا عَمَّا وَجَدْنَا عَلَیْهِ اٰبَآءَنَا وَ تَكُوْنَ لَكُمَا الْكِبْرِیَآءُ فِی الْاَرْضِ ؕ وَ مَا نَحْنُ لَكُمَا بِمُؤْمِنِیْنَ (78)

(૭૮) તે લોકો કહેવા લાગ્યા, “શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમને તે માર્ગ પરથી હટાવી દો જેના ઉપર અમે અમારા બાપ-દાદાઓને જોયા છે, અને તમને બંનેને દુનિયામાં મોટાઈ મળી જાય અને અમે તમને બંનેને કદી પણ નહિં માનીએ.”


وَ قَالَ فِرْعَوْنُ ائْتُوْنِیْ بِكُلِّ سٰحِرٍ عَلِیْمٍ (79)

(૭૯) અને ફિરઔને કહ્યું, “મારા પાસે બધા માહેર જાદૂગરોને હાજર કરો.”


فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالَ لَهُمْ مُّوْسٰۤى اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ (80)

(૮૦) પછી જયારે જાદૂગરો આવ્યા તો મૂસાએ તેમને કહ્યું કે, “નાખો જે કંઈ તમે નાખનારા છો.”


فَلَمَّاۤ اَلْقَوْا قَالَ مُوْسٰى مَا جِئْتُمْ بِهِ ۙ السِّحْرُ ؕ اِنَّ اللّٰهَ سَیُبْطِلُهٗ ؕ اِنَّ اللّٰهَ لَا یُصْلِحُ عَمَلَ الْمُفْسِدِیْنَ (81)

(૮૧) તો જ્યારે તેમણે નાખ્યુ તો મૂસાએ કહ્યું કે, “આ જે કંઈ તમે લાવ્યા છો તે જાદૂ છે, નક્કી વાત છે કે અલ્લાહ તેને હમણા બરબાદ કરી દેશે, અલ્લાહ આવા ફસાદિયોના કામ બનવા નથી દેતો.”


وَ یُحِقُّ اللّٰهُ الْحَقَّ بِكَلِمٰتِهٖ وَ لَوْ كَرِهَ الْمُجْرِمُوْنَ ۧ (82)

(૮૨) અને અલ્લાહ સત્યને પોતાના ફરમાન વડે સત્ય કરી દેખાડે છે ભલેને ગુનેહગારોને ગમે તેટલું બૂરું લાગે. (ع-)