અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ-લામ-મીમ-સાદ.
(૨) આ એક કિતાબ છે જે તમારા તરફ ઉતારવામાં આવી જેથી તેના વડે બાખબર કરવાથી તમારા દિલમાં તંગી પેદા ન થાય અને ઈમાનવાળાઓ માટે શિખામણ છે.
(૩) જે (ધર્મ વિધાન) તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યા, તેનું પાલન કરો અને તેના સિવાય બીજા સંરક્ષકોનું અનુસરણ ન કરો, તમે લોકો ઘણી ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
(૪) અને કેટલીય વસ્તીઓને અમે બરબાદ કરી દીધી અને તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો અથવા એવી હાલતમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા. [1]
(૫) તો જ્યારે તેમના પાસે અમારો અઝાબ આવ્યો તો તેમની પોકાર ફક્ત એ જ રહી કે તેમણે કહ્યું, “અમે જ જાલિમ હતા.”
(૬) પછી અમે તે લોકોની જરૂર પૂછપરછ કરીશું જેમના પાસે સંદેશો મોકલવામાં આવ્યો અને પયગંબરોથી પણ જરૂર પૂછપરછ કરીશું. [1]
(૭) પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા.
(૮) અને તે દિવસે ઠીક વજન થશે પછી જેમના પલ્લાં ભારે હશે તેઓ જ કામયાબ હશે.
(૯) અને જેમના પલ્લાં હલકા હશે, તો તે લોકો એવા હશે જેમણે પોતાનું નુકસાન કરી લીધું. કેમ કે તેઓ અમારી આયતોના સાથે જુલમ કરતા હતા. [1]
(૧૦) અને અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને તેમાં તમારા માટે જિંદગીનો સામાન બનાવ્યો, તમે ઘણા ઓછા આભારી થાઓ છો. (ع-૧)