(૧૧
) અલ્લાહ તઆલા તમને તમારી સંતાન વિષે હુકમ આપે છે કે એક છોકરાનો હિસ્સો બે છોકરીઓની બરાબર છે, જો ફક્ત છોકરીઓ હોય અને બે થી વધારે હોય, તો તેમને વારસાના માલમાંથી બે તૃતિયાંશ મળશે, અને જો એક જ છોકરી હોય તો તેના માટે અડધો છે અને મરનારના માતા-પિતામાંથી દરેકના માટે તેને છોડેલા માલનો છઠ્ઠો હિસ્સો છે જો તેની (મરનારની) સંતાન હોય, જો સંતાન ન હોય અને માતા-પિતા વારસદાર હોય તો પછી તેની માતા માટે ત્રીજો હિસ્સો છે, હા, જો મરનારના ધણા ભાઈ હોય તો પછી તેની માતાનો છઠ્ઠો હિસ્સો છે, આ હિસ્સો તે વસિયત (ને પૂરી કર્યા) પછી છે જે મરનાર કરી ગયો હોય અથવા દેવું ચૂકવ્યા પછી, તમે નથી જાણતા કે તમારા પિતા હોય અથવા તમારી સંતાનમાંથી કોણ તમને ફાયદો પહોંચાડવામાં વધારે નજીક છે, આ હિસ્સા અલ્લાહ (તઆલા) તરફથી નક્કી કરેલા છે, બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો હિકમતવાળો છે.