Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૨

આયત ૧૧ થી ૧૪


یُوْصِیْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْ ۗ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِ ۚ فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَیْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۚ وَ اِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ؕ وَ لِاَبَوَیْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌ ۚ فَاِنْ لَّمْ یَكُنْ لَّهٗ وَلَدٌ وَّ وَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ ۚ فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْۢ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ اٰبَآؤُكُمْ وَ اَبْنَآؤُكُمْ لَا تَدْرُوْنَ اَیُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًا ؕ فَرِیْضَةً مِّنَ اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا (11)

(૧૧) અલ્લાહ તઆલા તમને તમારી સંતાન વિષે હુકમ આપે છે કે એક છોકરાનો હિસ્સો બે છોકરીઓની બરાબર છે, જો ફક્ત છોકરીઓ હોય અને બે થી વધારે હોય, તો તેમને વારસાના માલમાંથી બે તૃતિયાંશ મળશે, અને જો એક જ છોકરી હોય તો તેના માટે અડધો છે અને મરનારના માતા-પિતામાંથી દરેકના માટે તેને છોડેલા માલનો છઠ્ઠો હિસ્સો છે જો તેની (મરનારની) સંતાન હોય, જો સંતાન ન હોય અને માતા-પિતા વારસદાર હોય તો પછી તેની માતા માટે ત્રીજો હિસ્સો છે, હા, જો મરનારના ધણા ભાઈ હોય તો પછી તેની માતાનો છઠ્ઠો હિસ્સો છે, આ હિસ્સો તે વસિયત (ને પૂરી કર્યા) પછી છે જે મરનાર કરી ગયો હોય અથવા દેવું ચૂકવ્યા પછી, તમે નથી જાણતા કે તમારા પિતા હોય અથવા તમારી સંતાનમાંથી કોણ તમને ફાયદો પહોંચાડવામાં વધારે નજીક છે, આ હિસ્સા અલ્લાહ (તઆલા) તરફથી નક્કી કરેલા છે, બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો હિકમતવાળો છે.


وَ لَكُمْ نِصْفُ مَا تَرَكَ اَزْوَاجُكُمْ اِنْ لَّمْ یَكُنْ لَّهُنَّ وَلَدٌ ۚ فَاِنْ كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِنْۢ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْنَ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ وَ لَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ اِنْ لَّمْ یَكُنْ لَّكُمْ وَلَدٌ ۚ فَاِنْ كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ مِّنْۢ بَعْدِ وَصِیَّةٍ تُوْصُوْنَ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ وَ اِنْ كَانَ رَجُلٌ یُّوْرَثُ كَلٰلَةً اَوِ امْرَاَةٌ وَّ لَهٗۤ اَخٌ اَوْ اُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَاِنْ كَانُوْۤا اَكْثَرَ مِنْ ذٰلِكَ فَهُمْ شُرَكَآءُ فِی الثُّلُثِ مِنْۢ بَعْدِ وَصِیَّةٍ یُّوْصٰى بِهَاۤ اَوْ دَیْنٍ ۙ غَیْرَ مُضَآرٍّ ۚ وَصِیَّةً مِّنَ اللّٰهِ ؕ وَ اللّٰهُ عَلِیْمٌ حَلِیْمٌ ؕ (12)

(૧૨) અને તમારી પત્નીઓ જે કંઈ છોડીને મરે અને તેમની સંતાન ન હોય તો અડધું તમારૂ છે અને જો તેમની સંતાન હોય તો તેમના છોડેલા માલમાંથી તમારા માટે ચોથાઈ છે તે વસિયતને ચૂકવી દીધા પછી જે તે કરીને ગઈ હોય અથવા દેવું ચૂકવ્યા પછી, અને જે તમે છોડીને જાઓ તેમાંથી તેમના માટે ચોથાઈ છે જો તમારી સંતાન ન હોય, અને જો તમારી સંતાન હોય તો પછી તેમને તમારા છોડેલા માલમાંથી આઠમો હિસ્સો મળશે, તે વસિયત પછી જે તમે કરીને ગયા હોય અને દેવું ચૂકવ્યા પછી, અને જેનો વારસો લેવામાં આવે છે તે પુરૂષ અથવા સ્ત્રી ક્લાલ હોય (એટલે કે તેનો પિતા અથવા પુત્ર ન હોય) અને તેનો એક ભાઈ અથવા એક બહેન હોય, તો તેમનામાંથી દરેકનો છઠ્ઠો હિસ્સો છે, અને તેનાથી વધારે હોય તો એક તૃતિયાંશમાં બધા સામેલ છે, તે વસિયત પછી જે કરવામાં આવી હોય અને દેવું ચૂકવ્યા બાદ, જયારે કે બીજાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હોય, આ અલ્લાહ (તઆલા) તરફથી નક્કી કરેલ છે અને અલ્લાહ (તઆલા) દરેક વાતને જાણનાર અને સહનશીલ છે.


تِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ وَ مَنْ یُّطِعِ اللّٰهَ وَ رَسُوْلَهٗ یُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ وَ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ (13)

(૧૩) આ સીમાઓ અલ્લાહ (તઆલા)ની નક્કી કરેલ છે અને જે અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ (સ.અ.વ.)ના હુકમોનું પાલન કરશે તેને અલ્લાહ (તઆલા) જન્નતમાં લઈ જશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને આ ઘણી મોટી કામયાબી છે.


وَ مَنْ یَّعْصِ اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ یَتَعَدَّ حُدُوْدَهٗ یُدْخِلْهُ نَارًا خَالِدًا فِیْهَا وَ لَهٗ عَذَابٌ مُّهِیْنٌ (14)

(૧૪) અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)ની અને રસૂલ (સ.અ.વ.) ની નાફરમાની કરે અને તેની નક્કી કરેલ સીમાઓને ઓળંગે, તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા (લોકો) માટે જ અપમાનજનક સજા છે. (ع-)