(૪૧) અને મેં (અલ્લાહએ) જે ગ્રંથ ઉતાર્યો છે તેની ઉપર ઈમાન લાવો, જે મેં તમારા ગ્રંથોનું સમર્થન કરવા માટે ઉતાર્યો છે. એટલા માટે તમે જ સૌ પ્રથમ તેનો ઇનકાર કરનારા ન બનો, અને નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો.
(૪૪) તમે બીજા લોકોને તો નેકીનો માર્ગ અપનાવવા માટે કહો છો, અને પોતે પોતાની જાત ને જ ભૂલી જાઓ છો ? જો કે તમે ગ્રંથ (કુરઆન) પઢો છો, શું તમારામાં જરા પણ બુદ્ધિ નથી ?