Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ: ૫

આયત ૪૦ થી ૪૬


يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ (40)

(૪૦) હે ઇસ્રાઈલના સંતાનો ! મારી તે કૃપાને યાદ કરો જે મેં તમારા ઉપર કરી અને મારા વચનને પૂરું કરો, હું તમારા વચનને પૂરા કરીશ અને મારા થી જ ડરો.


وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ (41)

(૪૧) અને મેં (અલ્લાહએ) જે ગ્રંથ ઉતાર્યો છે તેની ઉપર ઈમાન લાવો, જે મેં તમારા ગ્રંથોનું સમર્થન કરવા માટે ઉતાર્યો છે. એટલા માટે તમે જ સૌ પ્રથમ તેનો ઇનકાર કરનારા ન બનો, અને નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો.


وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ (42)

(૪૨) અસત્ય નો રંગ ચડાવીને સત્યને શંકાસ્પદ ન બનાવો અને જાણીજોઈને સત્યને છુપાવવાની કોશિશ ન કરો, તમે તો ખૂબ જ સારી રીતે જાણો છો.


وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ (43)

(૪૩) નમાઝ કાયમ કરો, ઝકાત (ધર્મદાન) આપો અને જે લોકો મારી સમક્ષ ઝુકી રહયા છે તેમની સાથે તમે પણ ઝુકી જાઓ.


أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ (44)

(૪૪) તમે બીજા લોકોને તો નેકીનો માર્ગ અપનાવવા માટે કહો છો, અને પોતે પોતાની જાત ને જ ભૂલી જાઓ છો ? જો કે તમે ગ્રંથ (કુરઆન) પઢો છો, શું તમારામાં જરા પણ બુદ્ધિ નથી ?


وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ (45)

(૪૫) ધૈર્ય (સબર) અને નમાઝ વડે મદદ લો, ખરેખર નમાઝ એક મુશ્કિલ કાર્ય છે, પરંતુ એ આજ્ઞાકારી બંદાઓ માટે મુશ્કિલ નથી.

الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ (46)

(૪૬) જેઓ સમજે છે કે છેવટે તેઓએ પોતાના રબને મળવાનુ છે અને તેનીજ તરફ પાછા ફરવાનું છે.