Surah Muhammad

સૂરહ મુહમ્મદ

રૂકૂ : ૧

આયત ૧ થી ૧૧

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اَلَّذِیْنَ كَفَرُوْا وَ صَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ اَضَلَّ اَعْمَالَهُمْ (1)

(૧) જે લોકોએ કુફ્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી રોક્યા, અલ્લાહે તેમના કર્મો બેકાર કરી દીધા.


وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ اٰمَنُوْا بِمَا نُزِّلَ عَلٰى مُحَمَّدٍ وَّ هُوَ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَ اَصْلَحَ بَالَهُمْ (2)

(૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા અને તેના ઉપર પણ વિશ્વાસ કર્યો જે મુહમ્મદ (ﷺ) પર ઉતારવામાં આવ્યો છે અને હકીકતમાં તેમના રબ તરફથી સત્ય પણ આ જ છે, અલ્લાહે તેમના ગુનાહોને માફ કરી દીધા, અને તેમની હાલત સુધારી દીધી.


ذٰلِكَ بِاَنَّ الَّذِیْنَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَ اَنَّ الَّذِیْنَ اٰمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَّبِّهِمْ ؕ كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ لِلنَّاسِ اَمْثَالَهُمْ (3)

(૩) આ એટલા માટે કે કાફિરોએ અસત્યનું અનુસરણ કર્યુ અને ઈમાનવાળાઓએ સત્યનું અનુસરણ કર્યુ, જે તેમના રબ તરફથી છે. અલ્લાહ (તઆલા) લોકોને તેમની હેસિયત આવી રીતે બતાવે છે.


فَاِذَا لَقِیْتُمُ الَّذِیْنَ كَفَرُوْا فَضَرْبَ الرِّقَابِ ؕ حَتّٰۤى اِذَاۤ اَثْخَنْتُمُوْهُمْ فَشُدُّوا الْوَثَاقَ { ۙق} فَاِمَّا مَنًّۢا بَعْدُ وَ اِمَّا فِدَآءً حَتّٰى تَضَعَ الْحَرْبُ اَوْزَارَهَا { ۛ قفۚ٥} ذٰؔلِكَ ۛؕ وَ لَوْ یَشَآءُ اللّٰهُ لَانْتَصَرَ مِنْهُمْ وَ لٰكِنْ لِّیَبْلُوَاۡ بَعْضَكُمْ بِبَعْضٍ ؕ وَ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ فَلَنْ یُّضِلَّ اَعْمَالَهُمْ (4)

(૪) તો જ્યારે કાફિરો સાથે તમારી અથડામણ થઈ જાય તો ગરદનો પર ઘા કરો, ત્યાં સુધી કે જ્યારે તેમને બરાબર કચડી નાખો તો હવે ખૂબ મજબૂત જેલમાં કેદ કરો, પછી (તમને અધિકાર છે કે) ઉપકાર કરીને અઝાદ કરી દો, અથવા કંઈક અર્થ-દંડ (ફિદિયો) લઈને ત્યાં સુધી કે લડનારાઓ પોતાના હથિયાર મૂકી દે, આ જ હુકમ છે અને જો અલ્લાહ (તઆલા) ચાહત તો જાતે જ તેમનાથી બદલો લઈ લેતો, પરંતુ (તેની ઈચ્છા એ છે કે) તમારામાંથી એકની પરીક્ષા બીજા વડે કરી લે. અને જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે અલ્લાહ તેમના કર્મોને કદી બરબાદ નહિં કરે.


سَیَهْدِیْهِمْ وَ یُصْلِحُ بَالَهُمْ ۚ (5)

(૫) તેમનું માર્ગદર્શન કરશે અને તેમની સ્થિતિ સુધારી દેશે.


وَ یُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ (6)

(૬) અને તેમને તે જન્નતમાં લઈ જશે જેનાથી તેમને પરિચિત કરી દેવામાં આવ્યા છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تَنْصُرُوا اللّٰهَ یَنْصُرْكُمْ وَ یُثَبِّتْ اَقْدَامَكُمْ (7)

(૭) હે ઈમાનવાળાઓ ! જો તમે અલ્લાહ (ના ધર્મ) ની મદદ કરશો તો તે તમારી મદદ કરશે! અને તમારા કદમ જમાવી દેશે.


وَ الَّذِیْنَ كَفَرُوْا فَتَعْسًا لَّهُمْ وَ اَضَلَّ اَعْمَالَهُمْ (8)

(૮) અને જે લોકો કાફિર થઈ ગયા તેમનો વિનાશ થશે, અલ્લાહે તેમના કર્મો બરબાદ કરી દીધા.


ذٰلِكَ بِاَنَّهُمْ كَرِهُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ فَاَحْبَطَ اَعْمَالَهُمْ (9)

(૯) આ એટલા માટે કે તેઓ અલ્લાહની ઉતારેલી વસ્તુથી નારાજ થયા, તો અલ્લાહે પણ તેમના કર્મો બરબાદ કરી દીધા.


اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ دَمَّرَ اللّٰهُ عَلَیْهِمْ {ز} وَ لِلْكٰفِرِیْنَ اَمْثَالُهَا (10)

(૧૦) શું તેઓએ ધરતી પર હરી-ફરીને ન જોયું કે તેમનાથી પહેલાના લોકોનું શું પરિણામ આવ્યું? અલ્લાહે તેમને બરબાદ કરી દીધા અને કાફિરો માટે આવા જ પ્રકારની સજા છે.


ذٰلِكَ بِاَنَّ اللّٰهَ مَوْلَى الَّذِیْنَ اٰمَنُوْا وَ اَنَّ الْكٰفِرِیْنَ لَا مَوْلٰى لَهُمْ ۧ (11)

(૧૧) આ એટલા માટે કે ઈમાનવાળાઓનો સંરક્ષક અલ્લાહ (તઆલા) પોતે છે કેમ કે કાફિરોનો કોઈ સંરક્ષક નથી.(ع-)