Surah Al-Muddaththir

સૂરહ અલ-મુદ્દસ્સિર

રૂકૂ :

આયત ૩૨ થી ૫૬

كَلَّا وَ الْقَمَرِ ۙ (32)

(૩૨) કદાપિ નહિં, ચંદ્રના સોગંદ.


وَ الَّیْلِ اِذْ اَدْبَرَ ۙ (33)

(૩૩) અને રાત્રિના જયારે તે વિદાય થવા લાગે.


وَ الصُّبْحِ اِذَاۤ اَسْفَرَ ۙ (34)

(૩૪) અને સવારના જયારે તે પ્રકાશિત થાય.


اِنَّهَا لَاِحْدَى الْكُبَرِ ۙ (35)

(૩૫) કે (બેશક તે જહન્નમ) ભારે વસ્તુઓમાંથી એક છે.


نَذِیْرًا لِّلْبَشَرِ ۙ (36)

(૩૬) મનુષ્યને ડરાવવાવાળી.


لِمَنْ شَآءَ مِنْكُمْ اَنْ یَّتَقَدَّمَ اَوْ یَتَاَخَّرَ ؕ (37)

(૩૭) તે દરેક મનુષ્યના માટે જે તમારામાંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહી જવા ઈચ્છે.


كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِیْنَةٌ ۙ (38)

(૩૮) દરેક મનુષ્ય પોતાના કર્મોના બદલામાં ગીરવે છે.


اِلَّاۤ اَصْحٰبَ الْیَمِیْنِ ؕۛ (39)

(૩૯) પરંતુ જમણી બાજુવાળા.


فِیْ جَنّٰتٍ { ۛؕقف} یَتَسَآءَلُوْنَ ۙ (40)

(૪૦) (કે) જન્નતોમાં (બેસીને) સવાલ કરતા હશે.


عَنِ الْمُجْرِمِیْنَ ۙ (41)

(૪૧) ગુનેહગારોથી.


مَا سَلَكَكُمْ فِیْ سَقَرَ (42)

(૪૨) “તમને જહન્નમમાં કઈ વાતથી નાખવામાં આવ્યા ?”


قَالُوْا لَمْ نَكُ مِنَ الْمُصَلِّیْنَ ۙ (43)

(૪૩) તેઓ જવાબ આપશે કે, અમે નમાઝી ન હતા,


وَ لَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِیْنَ ۙ (44)

(૪૪) ન ભૂખ્યાઓને ખાવાનું ખવડાવતા હતા,


وَ كُنَّا نَخُوْضُ مَعَ الْخَآئِضِیْنَ ۙ (45)

(૪૫) અને અમે બકવાશ વાતો કરવાવાળાઓના સાથે બકવાશ વાતોમાં વ્યસ્ત રહેતા હતા,


وَ كُنَّا نُكَذِّبُ بِیَوْمِ الدِّیْنِ ۙ (46)

(૪૬) અને અમે બદલાના દિવસને જૂઠાડતા હતા,


حَتّٰۤى اَتٰىنَا الْیَقِیْنُ ؕ (47)

(૪૭) ત્યાં સુધી કે અમારી મોત આવી ગઈ ”


فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشّٰفِعِیْنَ ؕ (48)

(૪૮) તો તેમને ભલામણ કરવાવાળાઓની ભલામણ ફાયદો આપવાવાળી નહીં હોય.


فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِیْنَ ۙ (49)

(૪૯) આ લોકોને શું થઈ ગયું છે કે તેઓ નસીહતથી મોઢું ફેરવી રહ્યા છે ?


كَاَنَّهُمْ حُمُرٌ مُّسْتَنْفِرَةٌ ۙ (50)

(૫૦) જાણે કે તેઓ ભટકેલા ગધેડા હોય.


فَرَّتْ مِنْ قَسْوَرَةٍ ؕ (51)

(૫૧) જે સિંહથી (ડરીને) ભાગ્યા હોય.


بَلْ یُرِیْدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ اَنْ یُّؤْتٰى صُحُفًا مُّنَشَّرَةً ۙ (52)

(૫૨) પરંતુ આમનામાંથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને સ્પષ્ટ કિતાબ મળી જાય.


كَلَّا١ؕ بَلْ لَّا یَخَافُوْنَ الْاٰخِرَةَ ؕ (53)

(૫૩) કદી એવું નથી (થઈ શકતું) પરંતુ તેઓ કયામતનો ભય રાખતા નથી.


كَلَّاۤ اِنَّهٗ تَذْكِرَةٌ ۚ (54)

(૫૪) ક્યારેય નહિં, આ (કુરઆન) તો એક નસીહત છે.


فَمَنْ شَآءَ ذَكَرَهٗ ؕ (55)

(૫૫) હવે જે ઈચ્છે તેનાથી (કુરઆનથી) નસીહત પ્રાપ્ત કરે.


وَ مَا یَذْكُرُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ هُوَ اَهْلُ التَّقْوٰى وَ اَهْلُ الْمَغْفِرَةِ ۧ (56)

(૫૬) અને આ લોકો તે સમયે નસીહત પ્રાપ્ત કરશે જયારે અલ્લાહ (તઆલા) ઈચ્છશે, તે આના જ લાયક છે કે તેઓ તેનાથી ડરે અને આના લાયક પણ છે કે તે (ડરનારાઓને) માફ કરી દે. (ع-)