Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૩

આયત ૧૮૩ થી ૧૮૮


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (183)

(૧૮૩) અય ઇમાનવાળાઓ! તમારા પર રોઝા(ઉપવાસ કે જે રમઝાન માસમાં રાખવામાં આવે છે) ફર્ઝ કરવામાં આવ્યા, જેવી રીતે તમારાથી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા.જેથી તમે તકવા (અલ્લાહનો ડર) નો રસ્તો અપનાવો.


أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ (184)

(૧૮૪) ગણતરીના કેટલાક જ દિવસો છે, પરંતુ જો તમારામાંથી જે માણસ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તે બીજા દિવસોમાં ગણતરી પૂરી કરી લે અને જે તેની તાકાત રાખતો હોય તો ફિદિયામાં એક ગરીબને ખાવાનું આપે, પછી જે માણસ ભલાઈમાં વધી જાય તે તેના માટે બહેતર છે, પરંતુ તમારા હકમાં બેહતર અમલ રોઝા રાખવા જ છે જો તમે જાણતા હોત.


شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ (185)

(૧૮૫) રમઝાનનો મહિનો તે છે જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું. જે લોકો માટે હિદાયત છે, અને જે હિદાયત અને સત્ય તથા અસત્ય વચ્ચે ફેંસલો કરનાર છે, તો તમારામાંથી જે કોઈ આ મહિનો પામે તેણે રોઝા રાખવા જોઈએ, હા જે બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તેણે બીજા દિવસોમાં ગણતરી પૂરી કરવી જોઈએ, અલ્લાહ (તઆલા)ની મરજી તમારા સાથે આસાનીની છે સખ્તીની નહિં, તે ઈચ્છે છે કે તમે ગણતરી પૂરી કરી લો અને અલ્લાહની આપેલી હિદાયત અનુસાર તેની મહાનતાનું વર્ણન કરો અને તેના આભારી રહો.


وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ (186)

(૧૮૬) અને જ્યારે મારા બંદાઓ મારા વિશે સવાલ કરે તો કહી દો કે હું ખૂબજ નજીક છું, દરેક પોકારનારની પોકારને જ્યારે પણ મને પોકારે હું કબૂલ કરૂ છું, એટલા માટે લોકોને પણ જોઈએ કે તેઓ મારી વાત માને અને મારા પર ઇમાન રાખે. આ જ તેમની ભલાઈનું કારણ છે.


أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَىٰ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ (187)

(૧૮૭) રોઝા ની રાત્રિઓમાં પોતાની પત્નીઓથી મળવાની તમને છૂટ છે,તે તમારો પોશાક છે અને તમે તેમના પોશાક છો, તમારી છુપાયેલી ખયાનતનું અલ્લાહને ઇલ્મ છે, તેણે તમારી તૌબા કબૂલ કરી તમને માફ કરી દીધા, હવે તમને તેમનાથી સહશયન (હમબિસ્તરી) કરવા અને અલ્લાહ (તઆલા)ની લખેલી વસ્તુને શોધવાનો હુકમ છે. તમે ખાતા –પીતા રહો, ત્યાં સુધી કે ફજર (પરોઢ)ની સફેદીનો દોરો અંધારાના કાળા દોરાથી સ્પષ્ટ થઈ જાય, પછી રાત્રિ સુધી રોઝાને પૂરો કરો અને પત્નીઓથી તે સમયે હમબિસ્તરી ન કરો જ્યારે તમે મસ્જિદોમાં એ’અતેકાફ (એક ચોક્કસ સમયના માટે અલ્લાહની બંદગીના મકસદથી પોતે પોતાને મસ્જિદ સુધી સિમિત કરી દેવું) માં હોવ, આ અલ્લાહ (તઆલા)ની હદો છે તમે એની નજીક પણ ન જાઓ, આ રીતે અલ્લાહ પોતાની નિશાનીઓ લોકો પર સ્પષ્ટ કરે છે, જેથી તેઓ બચે.


وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ (188)

(૧૮૮) અને એકબીજાનો માલ ખોટી રીતે ન ખાઓ, ન હકદાર માણસોને લાંચ આપી કોઈનો કેટલોક માલ જુલમથી હડપ કરી લો, ભલેને તમે જાણતા હોવ.