Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૯

આયત ૬૫ થી ૬૯

یٰۤاَیُّهَا النَّبِیُّ حَرِّضِ الْمُؤْمِنِیْنَ عَلَى الْقِتَالِ ؕ اِنْ یَّكُنْ مِّنْكُمْ عِشْرُوْنَ صٰبِرُوْنَ یَغْلِبُوْا مِائَتَیْنِ ۚ وَ اِنْ یَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ یَّغْلِبُوْۤا اَلْفًا مِّنَ الَّذِیْنَ كَفَرُوْا بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ (65)

(૬૫) અય નબી! મુસલમાનોને જિહાદ (ધર્મયુદ્ધ) માટે પ્રોત્સાહન આપો, જો તમારામાંથી વીસ ધૈર્યવાન હશે તો પણ બસો ઉપર પ્રભાવી રહેશે, અને જો તમારામાંથી એક સો હશે તો એક હજાર કાફિરો ઉપર પ્રભાવી રહેશે, કારણ કે તેઓ સમજ ધરાવતા નથી.


اَلْئٰنَ خَفَّفَ اللّٰهُ عَنْكُمْ وَ عَلِمَ اَنَّ فِیْكُمْ ضَعْفًا ؕ فَاِنْ یَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ صَابِرَةٌ یَّغْلِبُوْا مِائَتَیْنِ ۚ وَ اِنْ یَّكُنْ مِّنْكُمْ اَلْفٌ یَّغْلِبُوْۤا اَلْفَیْنِ بِاِذْنِ اللّٰهِ ؕ وَ اللّٰهُ مَعَ الصّٰبِرِیْنَ (66)

(૬૬) સારૂ, હવે અલ્લાહ તમારો બોજ હળવો કરે છે, તે સારી રીતે જાણે છે કે તમારામાં કમજોરી છે તો જો તમારામાંથી એકસો ધૈર્યવાન હશે તો તેઓ બસો ઉપર પ્રભાવી રહેશે, અને જો તમારામાંથી એક હજાર હશે તો તેઓ અલ્લાહના હુકમથી બે હજાર ઉપર પ્રભાવી રહેશે, અને અલ્લાહ (તઆલા) ધૈર્યવાન લોકોના સાથે છે.


مَا كَانَ لِنَبِیٍّ اَنْ یَّكُوْنَ لَهٗۤ اَسْرٰى حَتّٰى یُثْخِنَ فِی الْاَرْضِ ؕ تُرِیْدُوْنَ عَرَضَ الدُّنْیَا ۖۗ وَ اللّٰهُ یُرِیْدُ الْاٰخِرَةَ ؕ وَ اللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ (67)

(૬૭) નબી ના હાથમાં કેદી નથી જોઈતા, જયાં સુધી કે દેશમાં હિંસક યુધ્ધ ન થઈ જાય, તમે તો દુનિયાનો માલ ઈચ્છો છો અને અલ્લાહનો ઈરાદો આખિરતનો છે અને અલ્લાહ (તઆલા) પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.


لَوْ لَا كِتٰبٌ مِّنَ اللّٰهِ سَبَقَ لَمَسَّكُمْ فِیْمَاۤ اَخَذْتُمْ عَذَابٌ عَظِیْمٌ (68)

(૬૮) જો પહેલાથી જ અલ્લાહ તરફથી વાત લખેલી ન હોત તો જે કંઈ તમે લીધુ છે તેના બદલામાં તમને કોઈ સખત સજા થતી.


فَكُلُوْا مِمَّا غَنِمْتُمْ حَلٰلًا طَیِّبًا {ۖ ز} وَّ اتَّقُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۧ (69)

(૬૯) અને જે હલાલ અને શુધ્ધ માલ યુધ્ધમાં પ્રાપ્ત કરો તેને ખાઓ અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) ઘણો દરગુજર કરનાર અને દયાળુ છે. (ع-)