Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૧૬

આયત ૧૨૦ થી ૧૨૮

اِنَّ اِبْرٰهِیْمَ كَانَ اُمَّةً قَانِتًا لِّلّٰهِ حَنِیْفًا ؕ وَ لَمْ یَكُ مِنَ الْمُشْرِكِیْنَۙ (120)

(૧૨૦) બેશક ઈબ્રાહીમ એક ઉમ્મત હતા અને અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કરનારા એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.


شَاكِرًا لِّاَنْعُمِهٖ ؕ اِجْتَبٰىهُ وَ هَدٰىهُ اِلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (121)

(૧૨૧) અલ્લાહ (તઆલા)ની પ્રદાન કરેલ ને'મતોનો આભાર વ્યક્ત કરનાર હતા, અલ્લાહ (તઆલા)એ તેમને પસંદ કરી લીધા હતા અને તેમને સીધા માર્ગની હિદાયત આપી દીધી હતી.


وَ اٰتَیْنٰهُ فِی الدُّنْیَا حَسَنَةً ؕ وَ اِنَّهٗ فِی الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِیْنَؕ (122)

(૧૨૨) અને અમે તેમને દુનિયામાં પણ ભલાઈ આપી, અને બેશક તે આખિરતમાં પણ નેક લોકોમાંથી હશે.


ثُمَّ اَوْحَیْنَاۤ اِلَیْكَ اَنِ اتَّبِعْ مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ وَ مَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ (123)

(૧૨૩) પછી અમે તમારા તરફ વહી મોકલી કે તમે એકાગ્ર થઈને ઈબ્રાહીમના પંથનું અનુસરણ કરો, અને તે મુશરિકોમાંથી ન હતા.


اِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَى الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ ؕ وَ اِنَّ رَبَّكَ لَیَحْكُمُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ (124)

(૧૨૪) શનિવારના દિવસ (ના મહત્વ) ને તો ફક્ત તે લોકોના માટે જ જરૂરી કરવામાં આવ્યુ હતું જેમણે તેમાં મતભેદ કર્યો હતો, વાત એ છે કે તમારો રબ જાતે જ તેમનામાં તેમના મતભેદનો ફેંસલો કયામતના દિવસે કરશે.


اُدْعُ اِلٰى سَبِیْلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَ الْمَوْعِظَةِ الْحَسَنَةِ وَ جَادِلْهُمْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ ؕ اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَ هُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ (125)

(૧૨૫) પોતાના રબના માર્ગ તરફ લોકોને હિકમત અને સારી નસીહતના સાથે બોલાવો અને તેમના સાથે સારી રીતે વાત કરો, બેશક તમારો રબ પોતાના માર્ગથી ભટકી જનારાઓને પણ સારી રીતે જાણે છે અને તેના માર્ગ પર ચાલનારાઓથી પણ સંપૂર્ણ રીતે વાકેફ છે.


وَ اِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوْا بِمِثْلِ مَا عُوْقِبْتُمْ بِهٖ ؕ وَ لَئِنْ صَبَرْتُمْ لَهُوَ خَیْرٌ لِّلصّٰبِرِیْنَ (126)

(૧૨૬) અને જો બદલો લો તો પણ એટલો જ જેટલું તમને. દુઃખ પહોંચાડવામાં આવ્યું છે. અને જો સબ્ર કરો તો બેશક સબ્ર કરવાવાળા માટે એ જ બહેતર છે.


وَ اصْبِرْ وَ مَا صَبْرُكَ اِلَّا بِاللّٰهِ وَ لَا تَحْزَنْ عَلَیْهِمْ وَ لَا تَكُ فِیْ ضَیْقٍ مِّمَّا یَمْكُرُوْنَ (127)

(૧૨૭) તમે સબ્ર કરો અલ્લાહની મદદ વગર તમે સબ્ર કરી શકતા નથી અને તેમની હરકતોથી દુઃખી ન થાઓ અને જે છળકપટ આ લોકો કરે છે તેનાથી તંગ દિલ ન થાઓ.


اِنَّ اللّٰهَ مَعَ الَّذِیْنَ اتَّقَوْا وَّ الَّذِیْنَ هُمْ مُّحْسِنُوْنَ ۧ (128)

(૧૨૮) વિશ્વાસ કરો કે અલ્લાહ (તઆલા) સંયમીઓના અને સદાચારીઓના સાથે છે. (ع-૧૬)