અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) કૉફ.[1] ખૂબ જ મહાન (પ્રતિષ્ઠિત) કુરઆનના સોગંદ.
(૨) પરંતુ આ લોકોને આશ્ચર્ય થયુ કે એમના પાસે એમનામાંથી જ એક સચેત કરનાર આવ્યો તો કાફિરોએ કહ્યું કે, “આ એક અજબ વાત છે.
(૩) શું જ્યારે અમે મરીને માટી થઈ જઈશું. ફરી પાછા ફરવું દૂરની વાત છે.”
(૪) ધરતી જે કંઈ તેમનામાંથી ઘટાડે છે તે અમને ખબર છે અને અમારા પાસે બધુ યાદ રાખવાવાળી કિતાબ છે.
(૫) પરંતુ તેમણે સાચી વાતને જૂઠી કહી, જ્યારે કે તે તેમના પાસે પહોંચી ગઈ, તો તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે.[1]
(૬) શું તેઓ આકાશને પોતાના ઉપર નથી જોતા કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે ? અને તેને શણગાર્યું છે ? તેમા કોઈ તિરાડ નથી.
(૭) અને ધરતીને અમે ફેલાવી દીધી છે અને તેમાં અમે પર્વતો મૂકી દીધા છે અને તેમાં જાત-જાતની સુંદર વસ્તુઓ ઉગાડી દીધી છે.[1]
(૮) જેથી દરેક (અલ્લાહ તરફ) પાછા ફરનાર બંદાઓના માટે જોવા અને સમજવા માટેનો જરીયો બને.
(૯) અને અમે આકાશમાંથી બરકતવાળુ પાણી વરસાવ્યું અને તેના વડે બાગ અને કાપવામાં આવતી ખેતીનું અનાજ ઉગાડ્યું.[1]
(૧૦) તથા ખજુરોના ઊંચા-ઊંચા વૃક્ષો જેના ઝૂમખાં એકના ઉપર એક હોય છે.
(૧૧) બંદાઓની રોજીના માટે અને અમે પાણી વડે મરેલા નગરોને જીવિત કર્યા. આ જ રીતે (કબરોમાંથી) નીકળવાનું છે.
(૧૨) આમના પહેલા નૂહ (અ.સ.) ની કોમ અને રસ્સવાળાઓ[1] અને સમૂદે જૂઠાડ્યા હતા.
(૧૩) અને આદે અને ફિરઔને તેમજ લૂતના ભાઈઓએ.
(૧૪) અને ઐકાવાળાઓ[1] અને તુબ્બાની કોમે[2] (પણ જૂઠાડ્યા હતા). બધાએ પયગંબરોને જૂઠાડ્યા તો મારી સજાનો વાયદો તેમના પર સાબિત થઈ ગયો.
(૧૫) શું અમે પ્રથમવાર પેદા કરવાથી થાકી ગયા ? પરંતુ આ લોકો નવા જીવન તરફથી શંકામાં છે. (ع-૧)