Surah Ar-Ra'd

સૂરહ અર્-રઅ્દ

રૂકૂઅ : ૬

આયત ૩૮ થી ૪૩

وَ لَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ وَ جَعَلْنَا لَهُمْ اَزْوَاجًا وَّ ذُرِّیَّةً ؕ وَ مَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ لِكُلِّ اَجَلٍ كِتَابٌ (38)

(૩૮) અને અમે તમારા પહેલા પણ ઘણા રસૂલ મોકલી ચૂક્યા છીએ અને અમે તે બધાને પત્ની અને સંતાનવાળા બનાવ્યા હતા, કોઈ રસૂલથી નથી થઈ શકતુ કે કોઈ ચમત્કાર અલ્લાહની મરજી વગર લઈ આવે, દરેક નિર્ધારિત વાયદાની એક કિતાબ છે.


یَمْحُوا اللّٰهُ مَا یَشَآءُ وَ یُثْبِتُ ۖۚ وَ عِنْدَهٗۤ اُمُّ الْكِتٰبِ (39)

(૩૯) અલ્લાહ જેને ચાહે મિટાવી દે અને જેને ચાહે સુરક્ષિત રાખે, સુરક્ષિત કિતાબ (લોહે મહેફૂઝ) તેના જ પાસે છે.


وَ اِنْ مَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ وَ عَلَیْنَا الْحِسَابُ (40)

(૪૦) અને તેમના સાથે કરેલા વાયદાઓમાંથી જો કોઈને અમે તમને બતાવી દઈએ અથવા તમને અમે મૃત્યુ આપી દઈએ, તો તમારા પર ફક્ત પહોંચાડી દેવાનું છે હિસાબ તો અમારે લેવાનો છે.


اَوَ لَمْ یَرَوْا اَنَّا نَاْتِی الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ وَ اللّٰهُ یَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهٖ ؕ وَ هُوَ سَرِیْعُ الْحِسَابِ (41)

(૪૧) શું તે લોકો જોતા નથી કે અમે ધરતીને તેના કિનારાઓથી ઘટાડી રહ્યા છે ? અલ્લાહ હુકમ કરે છે અને કોઈ તેના હુકમને પાછળ નાખનાર નથી, તે જલ્દી હિસાબ લેનાર છે.


وَ قَدْ مَكَرَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَلِلّٰهِ الْمَكْرُ جَمِیْعًا ؕ یَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ؕ وَ سَیَعْلَمُ الْكُفّٰرُ لِمَنْ عُقْبَى الدَّارِ (42)

(૪૨) અને તેમનાથી પહેલાના લોકોએ પણ પોતાના છળકપટમાં કોઈ કસર નથી રાખી પરંતુ બધી વ્યવસ્થા અલ્લાહની જ છે. જે વ્યક્તિ જે કંઈ કરી રહ્યો છે તે અલ્લાહના ઈલ્મમાં છે, કાફિરોને હમણાં જાણ થઈ જશે કે તે (આખિરત)નો બદલો કોના માટે છે.


وَ یَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْا لَسْتَ مُرْسَلًا ؕ قُلْ كَفٰى بِاللّٰهِ شَهِیْدًۢا بَیْنِیْ وَ بَیْنَكُمْ ۙ وَ مَنْ عِنْدَهٗ عِلْمُ الْكِتٰبِ ۧ (43)

(૪૩) અને આ કાફિર લોકો કહે છે કે, “તમે અલ્લાહના રસૂલ નથી”, (તમે) જવાબ આપી દો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે અને તેની જેના પાસે કિતાબનું ઈલ્મ છે.”(ع-)