Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૧૪

આયત ૧૧૩ થી ૧૨૧


وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ (113)

(૧૧૩) યહૂદી કહે છે ઈસાઈ સાચા રસ્તા પર નથી અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તૌરાત પઢે છે. એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનિઓ પણ કહે છે, કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેંસલો કરી દેશે.


وَمَنْ أَظْلَمُ مِمَّن مَّنَعَ مَسَاجِدَ اللَّهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَٰئِكَ مَا كَانَ لَهُمْ أَن يَدْخُلُوهَا إِلَّا خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ (114)

(૧૧૪) અને એનાથી મોટો જાલિમ કોણ છે જે અલ્લાહ(તઆલા)ની મસ્જિદોમાં અલ્લાહનો ઝિક્ર(સ્મરણ) કરવાથી રોકે, અને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરે? આવા લોકોએ ડરતા-ડરતા તેમાં દાખલ થવું જોઈએ, તેમના માટે દુનિયામાં પણ અપમાન અને આખિરતમાં પણ મોટી સજાઓ છે.


وَلِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّهِ ۚ إِنَّ اللَّهَ وَاسِعٌ عَلِيمٌ (115)

(૧૧૫) અને પૂર્વ તથા પશ્ચિમનો માલિક અલ્લાહ જ છે, તમે જે તરફ મુખ કરો તે તરફ અલ્લાહનું મુખ છે, અલ્લાહ (તઆલા) સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે.


وَقَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَل لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ (116)

(૧૧૬) અને તેઓ કહે છે કે અલ્લાહ (તઆલા)ની સંતાન છે. (નહિ પરંતુ) તે પવિત્ર છે, ધરતી અને આકાશોની તમામ સૃષ્ટિ પર તેની હુકૂમત છે અને દરેક તેનો ફરમાબરદાર (આજ્ઞાંકિત) છે.


بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ (117)

(૧૧૭) તે આકાશ અને ધરતીનો રચયિતા છે, અને જ્યારે કોઈ કામનો નિર્ણય કરે છે તો કહી દે છે થઈ જા, તે થઈ જાય છે.


وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَا يُكَلِّمُنَا اللَّهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِن قَبْلِهِم مِّثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ (118)

(૧૧૮) અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ (તઆલા) સ્વયં અમારાથી વાત કેમ નથી કરતો અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી આવતી, આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી, તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી.


إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ (119)

(૧૧૯) અમે તમને સત્ય સાથે ખુશખબર આપનાર, અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે અને જહન્નમીઓના બાબતે તમને પૂછવામાં નહિં આવે.


وَلَن تَرْضَىٰ عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ (120)

(૧૨૦) અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહિં થાય જ્યાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો, (આપ) કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત હોય છે. અને જો તમે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યુ તો આલાહના પાસે ન તો તમારો કોઈ વલી (દોસ્ત) હશે ન કોઈ મદદગાર.


الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ (121)

(૧૨૧) જેઓને અમે કિતાબ આપી અને તેઓ તેણે પઢવાના હક સાથે પઢે છે તો તેઓ આ કિતાબ પર પણ ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તો તેઓ પોતે પોતાનું નુકશાન કરે છે.