(૧૧૩) યહૂદી કહે છે ઈસાઈ સાચા રસ્તા પર નથી અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તૌરાત પઢે છે. એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનિઓ પણ કહે છે, કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેંસલો કરી દેશે.
(૧૧૪) અને એનાથી મોટો જાલિમ કોણ છે જે અલ્લાહ(તઆલા)ની મસ્જિદોમાં અલ્લાહનો ઝિક્ર(સ્મરણ) કરવાથી રોકે, અને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરે? આવા લોકોએ ડરતા-ડરતા તેમાં દાખલ થવું જોઈએ, તેમના માટે દુનિયામાં પણ અપમાન અને આખિરતમાં પણ મોટી સજાઓ છે.
(૧૧૬) અને તેઓ કહે છે કે અલ્લાહ (તઆલા)ની સંતાન છે. (નહિ પરંતુ) તે પવિત્ર છે, ધરતી અને આકાશોની તમામ સૃષ્ટિ પર તેની હુકૂમત છે અને દરેક તેનો ફરમાબરદાર (આજ્ઞાંકિત) છે.
(૧૧૮) અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ (તઆલા) સ્વયં અમારાથી વાત કેમ નથી કરતો અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી આવતી, આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી, તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી.
(૧૨૦) અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહિં થાય જ્યાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો, (આપ) કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત હોય છે. અને જો તમે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યુ તો આલાહના પાસે ન તો તમારો કોઈ વલી (દોસ્ત) હશે ન કોઈ મદદગાર.
(૧૨૧) જેઓને અમે કિતાબ આપી અને તેઓ તેણે પઢવાના હક સાથે પઢે છે તો તેઓ આ કિતાબ પર પણ ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તો તેઓ પોતે પોતાનું નુકશાન કરે છે.