(૯૯) અને તે જ છે જેણે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, પછી તેના વડે દરેક પ્રકારની વનસ્પતિ ઉગાડી, પછી તેનાથી હરિયાળી નીકાળી જેમાંથી અમે ગૂંથેલ અનાજ અને ખજૂરની ડાળીઓમાંથી લટકતા ફળોના ઝૂમખા અને દ્રાક્ષ અને જૈતુન અને અનારના બાગ ઉગાડ્યા, જે એક પ્રકારના અને અનેક પ્રકારના હોય છે, તેમના ફળોને જુઓ જયારે તેમાં ફળ આવે અને તેમનું પાકવું, બેશક આમાં તે લોકો માટે નિશાનીઓ છે જેઓ ઈમાન ધરાવે છે.