Surah Ash-Shur'ara

સૂરહ અસ્-શુઅરા

રૂકૂઅ : ૭

આયત ૧૨૩ થી ૧૪૦

كَذَّبَتْ عَادُ اِن لْمُرْسَلِیْنَۚۖ (123)

(૬૯) 'આદ' (કોમ)એ પણ રસૂલોને ખોટા ઠેરવ્યા.


اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ هُوْدٌ اَلَا تَتَّقُوْنَۚ (124)

(૧૨૪) જ્યારે કે તેમને તેમના ભાઈ હૂદે કહ્યું કે, “શું તમે ડરતા નથી?


اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌۙ (125)

(૧૨૫) હું તમારો અમાનતદાર પયગંબર (સંદેશાવાહક) છું.


فَاتَّقُوا اللّٰهَ وَ اَطِیْعُوْنِۚ (126)

(૧૨૬) એટલા માટે અલ્લાહથી ડરો અને મારૂ કહ્યું માનો.


وَ مَاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ اِنْ اَجْرِیَ اِلَّا عَلٰى رَبِّ الْعٰلَمِیْنَؕ (127)

(૧૨૭) અને હું આના પર તમારા પાસે કોઈ મજદૂરી નથી માંગતો, મારી મજદૂરી તો સમગ્ર દુનિયાના રબ પાસે જ છે.


اَتَبْنُوْنَ بِكُلِّ رِیْعٍ اٰیَةً تَعْبَثُوْنَ (128)

(૧૨૮) શું તમે એક-એક ટેકરી પર સ્તંભના રૂપમાં તમાશાનું નિશાન બનાવી રહ્યા છો.


وَ تَتَّخِذُوْنَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُوْنَۚ (129)

(૧૨૯) અને મોટા મોટા (મજબૂત મહેલો) તૈયાર કરી રહ્યા છો, જાણે કે તમારે હંમેશા અહીં જ રહેવાનું છે.


وَ اِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِیْنَۚ (130)

(૧૩૦) અને જ્યારે કોઈના ઉપર હાથ નાખો છો તો કડકાઈ અને સખ્તીથી પકડો છો.


فَاتَّقُوا اللّٰهَ وَ اَطِیْعُوْنِۚ (131)

(૧૧૩) તો અલ્લાહથી ડરો અને મારી વાત માનો.


وَ اتَّقُوا الَّذِیْۤ اَمَدَّكُمْ بِمَا تَعْلَمُوْنَۚ (132)

(૧૩૨) અને તેનાથી ડરો જેણે તે વસ્તુઓ વડે તમારી મદદ કરી જેને તમે જાણો છો.


اَمَدَّكُمْ بِاَنْعَامٍ وَّ بَنِیْنَۚۙ (133)

(૧૩૩) તેણે તમારી મદદ કરી માલ અને સંતાનથી.


وَ جَنّٰتٍ وَّ عُیُوْنٍۚ (134)

(૧૩૪) અને બાગો અને ઝરણાંઓથી.


اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍؕ (135)

(૧૩૫) મને તો તમારા ઉપર મોટા દિવસના અઝાબનો ડર છે.”


قَالُوْا سَوَآءٌ عَلَیْنَاۤ اَوَ عَظْتَ اَمْ لَمْ تَكُنْ مِّنَ الْوٰعِظِیْنَۙ (136)

(૧૩૬) (તેમણે) કહ્યું કે, “તમે અમને શિખામણ આપો અથવા શિખામણ આપનારાઓમાં ન થાવ, અમારા માટે બધું બરાબર છે.


اِنْ هٰذَاۤ اِلَّا خُلُقُ الْاَوَّلِیْنَۙ (137)

(૧૩૭) આ તો જુના જમાનાના લોકોનો ધર્મ છે.


وَ مَا نَحْنُ بِمُعَذَّبِیْنَۚ (138)

(૧૩૮) અને અમે કદી અઝાબ પામનારા નહિ હોઈએ.”


فَكَذَّبُوْهُ فَاَهْلَكْنٰهُمْ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ وَ مَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ (139)

(૧૩૯) જો કે “આદ'ની કોમે (હજરત) હૂદને ખોટો ઠેરવ્યો, તેથી અમે તેમને બરબાદ કરી દીધા, બેશક આમાં નિશાની છે અને આમાંના મોટાભાગના ઈમાનવાળા ન હતા.


وَ اِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۧ (140)

(૧૪૦) અને બેશક તમારો રબ તે જ છે પ્રભુત્વશાળી અને દયાળુ. (ع-)