Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૬

આયત ૪૮ થી ૫૩

وَ نَادٰۤى اَصْحٰبُ الْاَعْرَافِ رِجَالًا یَّعْرِفُوْنَهُمْ بِسِیْمٰىهُمْ قَالُوْا مَاۤ اَغْنٰى عَنْكُمْ جَمْعُكُمْ وَ مَا كُنْتُمْ تَسْتَكْبِرُوْنَ (48)

(૪૮) અને અઅ્.રાફવાળાઓ કેટલાક વ્યક્તિઓને તેમની નિશાનીઓથી ઓળખીને પોકારશે કે, “તમારી જમાઅત અને તમારો ઘમંડ તમારા કામ ન આવ્યા.”


اَهٰۤؤُلَآءِ الَّذِیْنَ اَقْسَمْتُمْ لَا یَنَالُهُمُ اللّٰهُ بِرَحْمَةٍ ؕ اُدْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَیْكُمْ وَ لَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ (49)

(૪૯) શું આ તે લોકો છે જેમના વિષે તમે ભારપૂર્વક સોગંદ ખાઈ રહ્યા હતા કે આ (જન્નતીઓ) પર અલ્લાહની કૃપા નહિ થાય? (તેમને કહેવામાં આવશે) કે, “જન્નતમાં દાખલ થઈ જાઓ, તમારા પર ન કોઈ ડર હશે અને ન તમે ગમગીન હશો.”


وَ نَادٰۤى اَصْحٰبُ النَّارِ اَصْحٰبَ الْجَنَّةِ اَنْ اَفِیْضُوْا عَلَیْنَا مِنَ الْمَآءِ اَوْ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ؕ قَالُوْۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَى الْكٰفِرِیْنَۙ (50)

(૫૦) અને જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને પોકારશે કે અમારા ઉપર થોડું પાણી નાખી દો અથવા અલ્લાહે તમને જે રોજી આપી છે તેમાંથી થોડુંક આપો, તેઓ કહેશે, “અલ્લાહે આ બંને વસ્તુઓ કાફિરો માટે હરામ કરી દીધી છે.”


الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَهُمْ لَهْوًا وَّ لَعِبًا وَّ غَرَّتْهُمُ الْحَیٰوةُ الدُّنْیَا ۚ فَالْیَوْمَ نَنْسٰىهُمْ كَمَا نَسُوْا لِقَآءَ یَوْمِهِمْ هٰذَا ۙ وَ مَا كَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ (51)

(૫૧) જેમણે પોતાના ધર્મને ખેલ-તમાશો બનાવી દીધો અને દુનિયાની જિંદગીએ જેમને ફોસલાવી દીધા, એટલા માટે આજે અમે તેમને ભૂલી જઈશું, જેવી રીતે તેઓ આ દિવસને ભૂલી ગયા અને અમારી આયતોનો ઈન્કાર કરતા રહ્યા.


وَ لَقَدْ جِئْنٰهُمْ بِكِتٰبٍ فَصَّلْنٰهُ عَلٰى عِلْمٍ هُدًى وَّ رَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ (52)

(૫૨) અને અમે તેમના પાસે એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે.




هَلْ یَنْظُرُوْنَ اِلَّا تَاْوِیْلَهٗ ؕ یَوْمَ یَاْتِیْ تَاْوِیْلُهٗ یَقُوْلُ الَّذِیْنَ نَسُوْهُ مِنْ قَبْلُ قَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۚ فَهَلْ لَّنَا مِنْ شُفَعَآءَ فَیَشْفَعُوْا لَنَاۤ اَوْ نُرَدُّ فَنَعْمَلَ غَیْرَ الَّذِیْ كُنَّا نَعْمَلُ ؕ قَدْ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَ ضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۧ (53)

(૫૩) શું આ લોકો આના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે? જે દિવસે આનું અંતિમ પરિણામ આવી જશે, તો જે લોકો તેને પહેલા ભૂલાવી બેઠા હતા તેઓ કહેશે. કે, “અમારા રબના રસૂલ સત્ય લઈને આવ્યા.” તો શું કોઈ અમારો ભલામણકર્તા (સિફારીશી) છે જે અમારા માટે ભલામણ કરે? અથવા અમને બીજીવાર (દુનિયામાં) મોકલવામાં આવે, તો તેના સિવાય અમલ કરીએ જે કરતા રહ્યા, તેમણે પોતાને નુકસાનમાં નાખી દીધા અને જે વાતો ઘડતા રહ્યા તે તેમનાથી ખોવાઈ ગઈ. (ع-)