Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૬

આયત ૩૪ થી ૪૨


اَلرِّجَالُ قَوّٰمُوْنَ عَلَى النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰهُ بَعْضَهُمْ عَلٰى بَعْضٍ وَّ بِمَاۤ اَنْفَقُوْا مِنْ اَمْوَالِهِمْ ؕ فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلْغَیْبِ بِمَا حَفِظَ اللّٰهُ ؕ وَ الّٰتِیْ تَخَافُوْنَ نُشُوْزَهُنَّ فَعِظُوْهُنَّ وَ اهْجُرُوْهُنَّ فِی الْمَضَاجِعِ وَ اضْرِبُوْهُنَّ ۚ فَاِنْ اَطَعْنَكُمْ فَلَا تَبْغُوْا عَلَیْهِنَّ سَبِیْلًا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِیًّا كَبِیْرًا (34)

(૩૪) પુરૂષ સ્ત્રી ૫૨ હાકિમ છે, એટલા માટે કે અલ્લાહે એક ને બીજા ૫૨ શ્રેષ્ઠતા આપી છે, અને એટલા માટે કે પુરૂષોએ પોતાનો માલ ખર્ચ કર્યો છે, એટલા માટે નેક ફરમાબરદાર સ્ત્રીઓ પતિની ગેરહાજરીમાં અલ્લાહની સુરક્ષા વડે (ઈજ્જત અને માલની) રક્ષણ કરનાર સ્ત્રીઓ છે અને જે સ્ત્રીઓથી તમને નાફરમાનીનો ડર હોય તેમને ચેતવણી આપો, અને તેમનું પાથરણું અલગ કરી દો (પછી પણ ન માને) તો મારો અને જો તમારૂ કહેવું માની લે તો તેમના ૫૨ રસ્તાની શોધ ન કરો, બેશક અલ્લાહ ઘણો મહાન અને ઉચ્ચતર છે.


وَ اِنْ خِفْتُمْ شِقَاقَ بَیْنِهِمَا فَابْعَثُوْا حَكَمًا مِّنْ اَهْلِهٖ وَ حَكَمًا مِّنْ اَهْلِهَا ۚ اِنْ یُّرِیْدَاۤ اِصْلَاحًا یُّوَفِّقِ اللّٰهُ بَیْنَهُمَا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا خَبِیْرًا (35)

(૩૫) જો તમને (પતિ-પત્ની વચ્ચે) અનબન હોવાનો ડર હોય તો એક પંચ પતિના પરિવારમાંથી અને એક પત્નીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બંને સમાધાન કરાવવા ઈચ્છે તો અલ્લાહ તે બંનેને મેળવી દેશે, બેશક અલ્લાહ જાણવાવાળો ખબર રાખવાવાળો છે.


وَ اعْبُدُوا اللّٰهَ وَ لَا تُشْرِكُوْا بِهٖ شَیْئًا وَّ بِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّ بِذِی الْقُرْبٰى وَ الْیَتٰمٰى وَ الْمَسٰكِیْنِ وَ الْجَارِ ذِی الْقُرْبٰى وَ الْجَارِ الْجُنُبِ وَ الصَّاحِبِ بِالْجَنْۢبِ وَ ابْنِ السَّبِیْلِ ۙ وَ مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ؕ اِنَّ اللّٰهَ لَا یُحِبُّ مَنْ كَانَ مُخْتَالًا فَخُوْرَاۙ (36)

(૩૬) અને અલ્લાહની બંદગી કરો, તેના સાથે કોઈને શરીક ન કરો, અને માતા-પિતા, રિશ્તેદારો, અનાથો, ગરીબો, નજીકના પડોશીઓ, દૂરના પડોશીઓ અને સાથી મુસાફરો સાથે અહેસાન કરો, અને મુસાફરો અને જે તમારા આધિન છે (તેમના સાથે), બેશક અલ્લાહ બડાઈ હાંકનાર, ઘમંડીને પસંદ નથી કરતો.


اِ۟لَّذِیْنَ یَبْخَلُوْنَ وَ یَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ وَ یَكْتُمُوْنَ مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ وَ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًاۚ (37)

(૩૭) જે લોકો (પોતે) કંજૂસી કરે છે અને બીજાઓને પણ કંજૂસી કરવાનું કહે છે, અને અલ્લાહ (તઆલા) એ જે પોતાની મહેરબાનીથી તેમને આપી રાખ્યું છે તેને છુપાવે છે, અમે આવા અપકારી (નાશુક્રા) લોકો માટે અપમાનિત કરનાર અઝાબ તૈયાર કરી રાખ્યો છે.


وَ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ رِئَآءَ النَّاسِ وَ لَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ لَا بِالْیَوْمِ الْاٰخِرِ ؕ وَ مَنْ یَّكُنِ الشَّیْطٰنُ لَهٗ قَرِیْنًا فَسَآءَ قَرِیْنًا (38)

(૩૮) અને જે લોકો પોતાનો માલ લોકોને દેખાડવા માટે ખર્ચ કરે છે અને અલ્લાહ (તઆલા) ૫૨ અને કયામતના દિવસ ૫૨ ઈમાન નથી રાખતા, અને જેનો સોબતી સાથી શયતાન હોય તે તો ઘણો ખરાબ સાથી છે.


وَ مَا ذَا عَلَیْهِمْ لَوْ اٰمَنُوْا بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ وَ اَنْفَقُوْا مِمَّا رَزَقَهُمُ اللّٰهُ ؕ وَ كَانَ اللّٰهُ بِهِمْ عَلِیْمًا (39)

(૩૯) અને ભલા તેમનું શું નુકસાન હતું જો તેઓ અલ્લાહ (તઆલા) ૫૨ અને ક્યામતના દિવસ ૫૨ ઈમાન લાવતા અને અલ્લાહ (તઆલા)એ જે તેમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરતા, અલ્લાહ (તઆલા) તેઓને સારી રીતે જાણનાર છે.


اِنَّ اللّٰهَ لَا یَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۚ وَ اِنْ تَكُ حَسَنَةً یُّضٰعِفْهَا وَ یُؤْتِ مِنْ لَّدُنْهُ اَجْرًا عَظِیْمًا (40)

(૪૦) બેશક, અલ્લાહ (તઆલા) રજભાર બરાબર જુલમ નથી કરતો, અને જો નેકી હોય તો તેને બમણી કરી દે છે, અને ખાસ રીતે પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપે છે.


فَكَیْفَ اِذَا جِئْنَا مِنْ كُلِّ اُمَّةٍۭ بِشَهِیْدٍ وَّ جِئْنَا بِكَ عَلٰى هٰۤؤُلَآءِ شَهِیْدًا ؕ ؐ (41)

(૪૧) તો શું હાલ થશે જે સમયે દરેક સમુદાયમાંથી એક ગવાહ અમે લાવીશું અને તમને તે લોકો ૫૨ ગવાહ બનાવીને લાવીશું.

یَوْمَئِذٍ یَّوَدُّ الَّذِیْنَ كَفَرُوْا وَ عَصَوُا الرَّسُوْلَ لَوْ تُسَوّٰى بِهِمُ الْاَرْضُ ؕ وَ لَا یَكْتُمُوْنَ اللّٰهَ حَدِیْثًا۠ ۧ (42)

(૪૨) જે દિવસે કાફિરો અને રસૂલના નાફરમાનો એવી તમન્ના કરશે કે કાશ તેમને જમીનની સાથે બરાબર કરી દેવામાં આવતા અને અલ્લાહ (તઆલા) થી કોઈ વાત છુપાવી શકશે નહિં. (ع-)