Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૫

આયત ૨૭ થી ૩૪


وَ اتْلُ عَلَیْهِمْ نَبَاَ ابْنَیْ اٰدَمَ بِالْحَقِّ ۘ اِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ اَحَدِهِمَا وَ لَمْ یُتَقَبَّلْ مِنَ الْاٰخَرِ ؕ قَالَ لَاَقْتُلَنَّكَ ؕ قَالَ اِنَّمَا یَتَقَبَّلُ اللّٰهُ مِنَ الْمُتَّقِیْنَ (27)

(૨૭) અને આદમના બે પુત્રોનો કિસ્સો તેમને પઢીને સંભળાવી દો જયારે કે બંનેએ એક-એક કુરબાની ભેટ આપી તો એકની કબૂલ કરવામાં આવી અને બીજાની કબૂલ કરવામાં ન આવી તો તેણે કહ્યું કે, “હું તને જરૂર મારી નાખીશ." તો તેણે કહ્યું કે, “અલ્લાહ પરહેઝગારોથી જ કબૂલ કરે છે.”


لَئِنْۢ بَسَطْتَّ اِلَیَّ یَدَكَ لِتَقْتُلَنِیْ مَاۤ اَنَا بِبَاسِطٍ یَّدِیَ اِلَیْكَ لِاَقْتُلَكَ ۚ اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ (28)

(૨૮) જો તું મને કતલ કરવા માટે હાથ ઉપાડીશ તો હું તને કતલ કરવા માટે હાથ નથી ઉપાડી શકતો, હું અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબથી ડરૂ છું.


اِنِّیْۤ اُرِیْدُ اَنْ تَبُوْٓءَاۡ بِاِثْمِیْ وَ اِثْمِكَ فَتَكُوْنَ مِنْ اَصْحٰبِ النَّارِ ۚ وَ ذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۚ (29)

(૨૯) હું ઈચ્છું કે તું મારો ગુનોહ અને તારો ગુનોહ સમેટી લે અને જહન્નમીઓમાં થઈ જાય, અને આ જાલિમોનો ખરાબ બદલો છે.


فَطَوَّعَتْ لَهٗ نَفْسُهٗ قَتْلَ اَخِیْهِ فَقَتَلَهٗ فَاَصْبَحَ مِنَ الْخٰسِرِیْنَ (30)

(૩૦) બસ તેની ઈચ્છાઓએ પોતાના ભાઈનું કતલ કરવા માટે તૈયાર કરી દીધો અને તેણે તેનું કતલ કરી નાખ્યુ, જેનાથી તે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ ગયો.


فَبَعَثَ اللّٰهُ غُرَابًا یَّبْحَثُ فِی الْاَرْضِ لِیُرِیَهٗ كَیْفَ یُوَارِیْ سَوْءَةَ اَخِیْهِ ؕ قَالَ یٰوَیْلَتٰۤى اَعَجَزْتُ اَنْ اَكُوْنَ مِثْلَ هٰذَا الْغُرَابِ فَاُوَارِیَ سَوْءَةَ اَخِیْ ۚ فَاَصْبَحَ مِنَ النّٰدِمِیْنَ ۚ ۛ ۙ (31)

(૩૧) પછી અલ્લાહ (તઆલા)એ એક કાગડાને મોકલ્યો જે જમીન ખોદી રહ્યો હતો કે તેને બતાવે કે પોતાના ભાઈની લાશને કેવી રીતે છૂપાવી દે, તે કહેવા લાગ્યો, “હાય અફસોસ! શું હું આવું કરવાને લાયક પણ ન રહ્યો કે પોતાના ભાઈની લાશને આ કાગડાની જેમ દાટી શકતો?” પછી તો તે ઘણો દુ:ખી અને શરમિંદા થઈ ગયો.


مِنْ اَجْلِ ذٰلِكَ ؔۛۚ كَتَبْنَا عَلٰى بَنِیْۤ اِسْرَآءِیْلَ اَنَّهٗ مَنْ قَتَلَ نَفْسًۢا بِغَیْرِ نَفْسٍ اَوْ فَسَادٍ فِی الْاَرْضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِیْعًا ؕ وَ مَنْ اَحْیَاهَا فَكَاَنَّمَاۤ اَحْیَا النَّاسَ جَمِیْعًا ؕ وَ لَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِالْبَیِّنٰتِ {ز} ثُمَّ اِنَّ كَثِیْرًا مِّنْهُمْ بَعْدَ ذٰلِكَ فِی الْاَرْضِ لَمُسْرِفُوْنَ (32)

(૩૨) આ જ કારણે અમે ઈસરાઈલની સંતાન ૫૨ લખી દીધું કે જે વ્યક્તિ એના સિવાય કે તે કોઈનો કાતિલ હોય અથવા ધરતી પર ફસાદ પેદા કરવાવાળો હોય, કતલ કરી નાખે તો તે એવો છે કે તેણે તમામ લોકોને કતલ કરી દીધા, અને જે વ્યક્તિ એકનો જીવ બચાવશે, તેણે જાણે કે તમામને જીવતા કરી દીધા. અને તેમની પાસે અમારા રસૂલ ઘણી સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ, પછી પણ તેમનામાંથી વધારે પડતા લોકો ધરતી પર જુલમ (અને અતિરેક અને ક્રુરતા) કરવાવાળા જ રહ્યા.


اِنَّمَا جَزٰٓؤُا الَّذِیْنَ یُحَارِبُوْنَ اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ یَسْعَوْنَ فِی الْاَرْضِ فَسَادًا اَنْ یُّقَتَّلُوْۤا اَوْ یُصَلَّبُوْۤا اَوْ تُقَطَّعَ اَیْدِیْهِمْ وَ اَرْجُلُهُمْ مِّنْ خِلَافٍ اَوْ یُنْفَوْا مِنَ الْاَرْضِ ؕ ذٰلِكَ لَهُمْ خِزْیٌ فِی الدُّنْیَا وَ لَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌۙ (33)

(૩૩) જેઓ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલથી લડે અને ધરતી પર ફસાદ કરે તેમની સજા એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા ફાંસી પર ચઢાવી દેવામાં આવે અથવા ઉલટી દિશા તરફથી તેમના હાથ પગ કાપી નાખવામાં આવે, અથવા તેમને દેશનિકાલ કરવામાં આવે, આ તો થયું તેમનું દુનિયાનું અપમાન અને બેઈજ્જતી અને આખિરતમાં તેમના માટે સખત સજા છે.


اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ قَبْلِ اَنْ تَقْدِرُوْا عَلَیْهِمْ ۚ فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۧ (34)

(૩૪) પરંતુ જો પોતાની ઉ૫૨ તમારો કાબૂ મેળવતા પહેલા માફી માંગી લે, તો બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો ઘણો મહેરબાન અને દયાળુ છે. (ع-)