(૨૭) અને આદમના બે પુત્રોનો કિસ્સો તેમને પઢીને સંભળાવી દો[32] જયારે કે બંનેએ એક-એક કુરબાની ભેટ આપી તો એકની કબૂલ કરવામાં આવી અને બીજાની કબૂલ કરવામાં ન આવી[33] તો તેણે કહ્યું કે, “હું તને જરૂર મારી નાખીશ." તો તેણે કહ્યું કે, “અલ્લાહ પરહેઝગારોથી જ કબૂલ કરે છે.”
(૨૮) જો તું મને કતલ કરવા માટે હાથ ઉપાડીશ તો હું તને કતલ કરવા માટે હાથ નથી ઉપાડી શકતો, હું અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબથી ડરૂ છું.
(૨૯) હું ઈચ્છું કે તું મારો ગુનોહ અને તારો ગુનોહ સમેટી લે અને જહન્નમીઓમાં થઈ જાય, અને આ જાલિમોનો ખરાબ બદલો છે.
(૩૦) બસ તેની ઈચ્છાઓએ પોતાના ભાઈનું કતલ કરવા માટે તૈયાર કરી દીધો અને તેણે તેનું કતલ કરી નાખ્યુ, જેનાથી તે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ ગયો.
(૩૧) પછી અલ્લાહ (તઆલા)એ એક કાગડાને મોકલ્યો જે જમીન ખોદી રહ્યો હતો કે તેને બતાવે કે પોતાના ભાઈની લાશને કેવી રીતે છૂપાવી દે, તે કહેવા લાગ્યો, “હાય અફસોસ! શું હું આવું કરવાને લાયક પણ ન રહ્યો કે પોતાના ભાઈની લાશને આ કાગડાની જેમ દાટી શકતો?” પછી તો તે ઘણો દુ:ખી અને શરમિંદા થઈ ગયો.
(૩૨) આ જ કારણે અમે ઈસરાઈલની સંતાન ૫૨ લખી દીધું કે જે વ્યક્તિ એના સિવાય કે તે કોઈનો કાતિલ હોય અથવા ધરતી પર ફસાદ પેદા કરવાવાળો હોય, કતલ કરી નાખે તો તે એવો છે કે તેણે તમામ લોકોને કતલ કરી દીધા, અને જે વ્યક્તિ એકનો જીવ બચાવશે, તેણે જાણે કે તમામને જીવતા કરી દીધા.[34] અને તેમની પાસે અમારા રસૂલ ઘણી સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ, પછી પણ તેમનામાંથી વધારે પડતા લોકો ધરતી પર જુલમ (અને અતિરેક અને ક્રુરતા) કરવાવાળા જ રહ્યા.
(૩૩) જેઓ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલથી લડે અને ધરતી પર ફસાદ કરે તેમની સજા એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા ફાંસી પર ચઢાવી દેવામાં આવે અથવા ઉલટી દિશા તરફથી તેમના હાથ પગ કાપી નાખવામાં આવે, અથવા તેમને દેશનિકાલ કરવામાં આવે, આ તો થયું તેમનું દુનિયાનું અપમાન અને બેઈજ્જતી અને આખિરતમાં તેમના માટે સખત સજા છે.
(૩૪) પરંતુ જો પોતાની ઉ૫૨ તમારો કાબૂ મેળવતા પહેલા માફી માંગી લે, તો બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો ઘણો મહેરબાન અને દયાળુ છે. (ع-૫)