Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૧૩

આયત ૧૦૦ થી ૧૦૮

اَوَ لَمْ یَهْدِ لِلَّذِیْنَ یَرِثُوْنَ الْاَرْضَ مِنْۢ بَعْدِ اَهْلِهَاۤ اَنْ لَّوْ نَشَآءُ اَصَبْنٰهُمْ بِذُنُوْبِهِمْ ۚ وَ نَطْبَعُ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ (100)

(૧૦૦) તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે.


تِلْكَ الْقُرٰى نَقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآئِهَا ۚ وَ لَقَدْ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ فَمَا كَانُوْا لِیُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا مِنْ قَبْلُ ؕ كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰى قُلُوْبِ الْكٰفِرِیْنَ (101)

(૧૦૧) આ શહેરોની કેટલીક ઘટનાઓ અમે તમને બતાવી રહ્યા છીએ અને તેમના રસૂલ તેમના પાસે દલીલો સાથે આવ્યા પછી પણ જેને તેઓએ પહેલા ન માની તેને પછી માનવાને લાયક ન રહ્યા, આવી રીતે અલ્લાહ કાફિરોના દિલો પર મહોર મારી દે છે.


وَ مَا وَجَدْنَا لِاَكْثَرِهِمْ مِّنْ عَهْدٍ ۚ وَ اِنْ وَّجَدْنَاۤ اَكْثَرَهُمْ لَفٰسِقِیْنَ (102)

(૧૦૨) અને અમે તેમનામાંથી ઘણાં ખરા લોકોને વચનનું પાલન કરતા ન જોયા અને અમે તેમનામાં મોટા ભાગનાઓને ફાસિક (અવજ્ઞાકારી) જોયા.


ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهِمْ مُّوْسٰى بِاٰیٰتِنَاۤ اِلٰى فِرْعَوْنَ وَ مَلَاۡئِهٖ فَظَلَمُوْا بِهَا ۚ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِیْنَ (103)

(૧૦૩) ત્યારબાદ અમે (રસૂલ) મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા તો તેઓએ તેમનો હક પૂરો ન કર્યો, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો.


وَ قَالَ مُوْسٰى یٰفِرْعَوْنُ اِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَۙ (104)

(૧૦૪) અને મૂસાએ કહ્યું, “અય ફિરઔન! હું સમગ્ર સૃષ્ટિના રબ તરફથી પયગંબર છું.


حَقِیْقٌ عَلٰۤى اَنْ لَّاۤ اَقُوْلَ عَلَى اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ قَدْ جِئْتُكُمْ بِبَیِّنَةٍ مِّنْ رَّبِّكُمْ فَاَرْسِلْ مَعِیَ بَنِیْۤ اِسْرَآءِیْلَؕ (105)

(૧૦૫) મારા માટે એ જ બહેતર છે કે સત્ય સિવાય અલ્લાહ પર કોઈ વાત ન બોલું, હું તમારા રબ તરફથી એક નિશાની પણ લાવ્યો છું એટલા માટે તું ઈસરાઈલની સંતાનને મારા સાથે મોકલી દે.


قَالَ اِنْ كُنْتَ جِئْتَ بِاٰیَةٍ فَاْتِ بِهَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ (106)

(૧૦૬) (ફિરઔને) કહ્યું, “જો તમે કોઈ નિશાની લઈને આવ્યા છો તો તેને રજૂ કરો, જો તમે સાચા છો.”


فَاَلْقٰى عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌۚۖ (107)

(૧૦૭) પછી પોતાની લાઠી નાખી દીધી તો અચાનક તે એક જીવતો જાગતો અજગર બની ગઈ.


وَّ نَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۧ (108)

(૧૦૮) અને પોતાનો હાથ બહાર કાઢ્યો તો તે અચાનક બધા જોનારાઓની સામે ઘણો જ ચળકતો થઈ ગયો. (ع-૧૩)