(૭૦) અને એવા લોકો સાથે કદી પણ સંબંધ ન રાખો જેમણે પોતાના ધર્મને ખેલ-તમાશો બનાવી રાખ્યો છે અને દુનિયાની જિંદગીએ જેમને ધોખામાં નાખી રાખ્યા છે અને આ કુરઆન વડે તાલીમ પણ આપતા રહો જેથી કોઈ વ્યક્તિ પોતાના કર્મોના કારણે એવી રીતે ફસાઈ ન જાય કે કોઈ અલ્લાહના સિવાય તેની ન મદદ કરવાવાળો હોય અને ન ભલામણ કરવાવાળો અને એ હાલત હોય કે જો દુનિયાભરનો બદલો આપી દે તો પણ તેનાથી લેવામાં ન આવે, તેઓ એવા જ છે કે પોતાના કર્મોના કારણે ફસાઈ ગયા, તેમના માટે ઊકળતુ પાણી પીવા માટે હશે અને પીડાકારી સજા હશે તેમના કુફ્રના કારણે.
(ع-૮)