સૂરહ અલ-બકરહ મદીના માં નાઝિલ થઇ (ઉતરી) હતી.આ સૂરહ માં બસો-છ્યાસી (૨૮૬) આયતોઅને ચાલીસ (૪૦) રૂકૂઅ છે.
આ સૂરહ માં આગળ ગાય ના કિસ્સા નું વર્ણન થયુ છે. આથી જ આ સૂરત ને ગાય ના કિસ્સા વાળી સૂરહ કહેવામાં આવે છે. મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની હદીષો માં આ સૂરહ ની એક ખાસ ફઝીલત વર્ણન કરવામાં આવી છે, કે જે ઘર માં આ સૂરહ ની તિલાવત કરવામાં આવે તે ઘરમાંથી શૈતાન નાસી જાય છે.