Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૧૯

આયત ૧૫૩ થી ૧૬૩


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ (153)

(૧૫૩) હે ઇમાન વાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે.


وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ (154)

(૧૫૪) અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો, તેઓ જીવિત છે પરંતુ તમે નથી સમઝતા.


وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ (155)

(૧૫૫) અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો.


الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ (156)

(૧૫૬) તેમને જ્યારે પણ કોઈ મુસીબત આવે છે તો કહે છે કે, અમે તો પોતે અલ્લાહ (તઆલા) માટે છીએ અને અમે તેના તરફ પાછા ફરનારા છીએ.


أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ (157)

(૧૫૭) આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે.


إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ (158)

(૧૫૮) બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે.


إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ (159)

(૧૫૯) જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત) ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર(લાનત) છે.


إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ (160)

(૧૬૦) પરંતુ તે લોકો જેઓ તૌબા કરી લે અને સુધાર કરી લે અને જાહેર કરે તો હું તેમની તૌબા કબૂલ કરી લઉં છું અને હું તૌબા કબૂલ કરવાવાળો અને દયાળુ છું.


إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ (161)

(૧૬૧) બેશક, જે કાફિરો કુફ્રની હાલતમાં મરી જાય તેમના પર અલ્લાહની અને ફરિશ્તાઓની અને તમામ લોકોની ફિટકાર છે.


خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ (162)

(૧૬૨) જેમાં તેઓ હંમેશા રહેશે ન તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.


وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ (163)

(૧૬૩) અને તમારા સૌનો માઅબૂદ એક અલ્લાહ જ છે તેના સિવાય કોઈ સાચો માઅબૂદ નથી, તે ઘણો કૃપાળુ અને મોટો દયાળુ છે.