(૧૫૫) અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો.
(૧૫૮) બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે.
(૧૫૯) જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત) ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર(લાનત) છે.