(૭૧) જે દિવસે અમે દરેક ઉમ્મતને તેમના ઈમામ સાથે બોલાવીશું,[1] પછી જેમને પણ કર્મપોથી જમણા હાથમાં આપી દેવામાં આવશે તેઓ તો (ખુશીથી) પોતાની કર્મપોથી વાંચવા લાગશે અને રજભાર બરાબર પણ તેમના ઉપર જુલમ કરવામાં નહિ આવે.
(૭૨) અને જે કોઈ આ દુનિયામાં આંધળો રહ્યો તે આખિરતમાં પણ આંધળો રહેશે અને માર્ગથી ઘણો જ દૂર ભટકેલો રહેશે.[1]
(૭૩) અને આ લોકો તમને તે વહીથી જેને અમે તમારા તરફ ઉતારી છે ભટકાવી દેવા ઈચ્છતા હતા કે તમે આના સિવાય બીજી વાતો અમારા નામ પર ઘડી લો, ત્યારે તો તમને આ લોકો તમને પોતાના દોસ્ત બનાવી લેતા.
(૭૪) અને જો અમે તમને મક્કમ ન રાખતા તો વધારે શક્ય હતું કે તેમના તરફ થોડા ઘણાં ઝૂકી જ જતા.
(૭૫) પછી તો અમે પણ તમને બમણો અઝાબ દુનિયાનો આપતા અને બમણો અઝાબ મૃત્યુનો, પછી તમે તો પોતાના માટે અમારા સામે કોઈને પણ સહાયક ન પામતા.
(૭૬) અને આ લોકો તમારા કદમ આ ધરતીથી ઉખાડવામાં જ લાગ્યા હતા કે તમને અહીંથી કાઢી મૂકે,[1] પછી આ લોકો પણ તમારા પછી ઘણું ઓછુ રહી શક્તા.[2]
(૭૭) એવો જ નિયમ તેમનો હતો, જે તમારાથી પહેલા અમે રસૂલ મોકલ્યા, અને તમે અમારા નિયમોમાં કદી પણ બદલાવ નહિ જુઓ. (ع-૮)