(૧૫૬) અય મુસલમાનો! તમે તેમના જેવા ન બનો જેઓ નાશુક્રા(અપકારી) બની ગયા અને તેમના ભાઈઓએ જયારે ધરતી પર મુસાફરી કરી અથવા જિહાદ માટે નીકળ્યા તો કહ્યું કે જો તેઓ અમારા સાથે રહેતા તો ન મૃત્યુ પામતા, ન તેઓ કતલ થતા, (તેમના આ વિચારનું કારણ એ છે કે) અલ્લાહ તેને તેમના દિલોના અફસોસનું કારણ બનાવી દે, જીવન અને મૃત્યુ અલ્લાહ જ આપે છે અને અલ્લાહ તમારા કાર્યોને જોઈ રહ્યો છે.