Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૫

આયત ૩૦ થી ૩૭

وَ قَالَتِ الْیَهُوْدُ عُزَیْرُ اِ۟بْنُ اللّٰهِ وَ قَالَتِ النَّصٰرَى الْمَسِیْحُ ابْنُ اللّٰهِ ؕ ذٰلِكَ قَوْلُهُمْ بِاَفْوَاهِهِمْ ۚ یُضَاهِئُوْنَ قَوْلَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَبْلُ ؕ قٰتَلَهُمُ اللّٰهُ { ۚ ز } اَنّٰى یُؤْفَكُوْنَ (30)

(૩૦) યહૂદી કહે છે કે ઉજૈર અલ્લાહના પુત્ર છે, અને ઈસાઈ કહે છે કે મસીહ અલ્લાહના પુત્ર છે, આ વાતો ફક્ત તેમના મોઢાંની વાતો છે, પહેલાના કાફિરોની વાતોની આ લોકો પણ બરાબરી કરવા લાગ્યા છે અલ્લાહ તેમને બરબાદ કરે તેઓ ક્યાંથી પાછા ફરી રહ્યા છે?


اِتَّخَذُوْۤا اَحْبَارَهُمْ وَ رُهْبَانَهُمْ اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ وَ الْمَسِیْحَ ابْنَ مَرْیَمَ ۚ وَ مَاۤ اُمِرُوْۤا اِلَّا لِیَعْبُدُوْۤا اِلٰهًا وَّاحِدًا ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ سُبْحٰنَهٗ عَمَّا یُشْرِكُوْنَ (31)

(૩૧) તે લોકોએ અલ્લાહને છોડીને પોતાના આલિમો અને દરવેશો (ધર્માચાર્યો)ને રબ બનાવ્યા છે, અને મરયમના પુત્ર મસીહને પણ, જો કે તેમને એક જ અલ્લાહની બંદગીનો હુકમ આપવામાં આવ્યો હતો જેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, તે તેમના શિર્ક કરવાથી પવિત્ર છે.


یُرِیْدُوْنَ اَنْ یُّطْفِئُوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ وَ یَاْبَى اللّٰهُ اِلَّاۤ اَنْ یُّتِمَّ نُوْرَهٗ وَ لَوْ كَرِهَ الْكٰفِرُوْنَ (32)

(૩૨) આ લોકો અલ્લાહના પ્રકાશને પોતાના મોઢા વડે હોલવી નાખવા ચાહે છે, અને અલ્લાહ ઈન્કાર કરે છે પરંતુ એ કે પોતાના પ્રકાશને પૂરો કરે, ભલેને કાફિર લોકો નારાજ થાય.


هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَ دِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَى الدِّیْنِ كُلِّهٖ ۙ وَ لَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ (33)

(૩૩) તેણે જ પોતાના રસૂલને સત્ય માર્ગ અને સત્ય ધર્મ સાથે મોકલ્યાં કે તેને બીજા બધા ધર્મ પર પ્રભાવી કરી દે, ભલેને મુશરિકો તેને બૂરું માને.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّ كَثِیْرًا مِّنَ الْاَحْبَارِ وَ الرُّهْبَانِ لَیَاْكُلُوْنَ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَ یَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ وَ الَّذِیْنَ یَكْنِزُوْنَ الذَّهَبَ وَ الْفِضَّةَ وَ لَا یُنْفِقُوْنَهَا فِیْ سَبِیْلِ اللّٰهِ ۙ فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍۙ (34)

(૩૪) અય ઈમાનવાળાઓ! મોટા ભાગના આલિમો અને ઈબાદત કરનારાઓ લોકોનો માલ નાહક રીતે ખાઈ જાય છે, અને અલ્લાહના માર્ગથી રોકે છે અને જે લોકો સોના ચાંદીના ખજાનાઓ રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા તેમને સખત સજાની ખબર સંભળાવી દો.


یَّوْمَ یُحْمٰى عَلَیْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰى بِهَا جِبَاهُهُمْ وَ جُنُوْبُهُمْ وَ ظُهُوْرُهُمْ ؕ هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ (35)

(૩૫) જે દિવસે તે ખજાનાઓને જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેનાથી તેમના માથા અને પડખાઓ અને પીઠોને ડામવામાં આવશે (તેમને કહેવામાં આવશે) આ છે જેને તમે પોતાના માટે ખજાનો બનાવીને રાખ્યો હતો, તો પોતાના ખજાનાઓનો સ્વાદ ચાખો.


اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ یَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ ؕ ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ ۙ٥ فَلَا تَظْلِمُوْا فِیْهِنَّ اَنْفُسَكُمْ وَ قَاتِلُوا الْمُشْرِكِیْنَ كَآفَّةً كَمَا یُقَاتِلُوْنَكُمْ كَآفَّةً ؕ وَ اعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ (36)

(૩૬) મહિનાઓની ગણતરી અલ્લાહના નજદીક અલ્લાહની કિતાબમાં બાર છે, તે દિવસથી જયારથી તેણે આકાશો અને ધરતીને પેદા કર્યા છે, તેમાંથી ચાર હુરમત અને ઈજ્જતના છે, આ જ પવિત્ર દિવસો છે, તમે આ મહિનાઓમાં પોતાના ઉપર જુલમ ન કરો, અને તમે બધા મુશરિકોથી જિહાદ કરો, જેવા કે તેઓ તમારા બધાથી લડે છે અને જાણી લો કે અલ્લાહ (તઆલા) પરહેઝગારો (સંયમીઓ)ના સાથે છે.


اِنَّمَا النَّسِیْٓءُ زِیَادَةٌ فِی الْكُفْرِ یُضَلُّ بِهِ الَّذِیْنَ كَفَرُوْا یُحِلُّوْنَهٗ عَامًا وَّ یُحَرِّمُوْنَهٗ عَامًا لِّیُوَاطِئُوْا عِدَّةَ مَا حَرَّمَ اللّٰهُ فَیُحِلُّوْا مَا حَرَّمَ اللّٰهُ ؕ زُیِّنَ لَهُمْ سُوْٓءُ اَعْمَالِهِمْ ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۧ (37)

(૩૭) મહિનાઓનું આગળ-પાછળ કરી દેવું કુફરને વધારવું છે તેનાથી તેઓને ગુમરાહ કરવામાં આવે છે જેઓ કાફિર છે, એક વર્ષ તેને હલાલ કરી લે છે અને એક વર્ષ તેને હરામ બનાવી લે છે, કે જેથી અલ્લાહે જે હરામ રાખેલ છે તેની ગણતરીમાં સમાનતા થઈ જાય, પછી જેને હરામ કરેલ છે તેને હલાલ બનાવી લે, તેમના બૂરા કામો તેમને સારા દેખાડી દેવામાં આવ્યા અને અલ્લાહ કાફિરોને હિદાયત નથી આપતો. (ع-)