Surah An-Nas
સૂરહ અન્-નાસ
સૂરહ અન્-નાસ
સૂરહ અન્-નાસ (૧૧૪)
માનવજાત
સૂરહ અન્-નાસ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં છ (૬) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તમે કહી દો કે હું લોકોના રબની પનાહમાં આવું છું. [2]
(૨) લોકોના માલિકની.
(૩) લોકોના સાચા મા'બૂદ (ઉપાસ્ય) ની (પનાહમાં). [3]
(૪) શંકા (વસવસા) નાખવાવાળા, પાછળ હટી જનાર (શેતાન) ની બૂરાઈથી.
(૫) જે લોકોના દિલોમાં શંકા (વસવસા) નાંખે છે.
(૬) (પછી)તે જિન્નતોમાંથી હોય કે મનુષ્યોમાંથી.[4] (ع-૧)