Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ: ૬

આયત ૪૭ થી ૫૯


يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ (47)

(૪૭) હે ઈસરાઈલની સંતાન યાદ કરો મારી એ કૃપાને જેનાથી મેં તમને નવાઝયા હતા અને એ વાતને કે મેં તમને સમગ્ર સૃષ્ટિ ઉપર શ્રેષ્ઠતા આપી હતી.


وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ (48)

(૪૮) અને ડરો એ દિવસ થી કોઈ કોઈ ના જરા પણ કામમાં નહીં આવે, ન કોઈ ની ભલામણ સ્વીકારવામાં આવશે, ન કોઈને બદલો અથવા બાનાની રકમ લઈ ને મુક્ત કરવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે.


وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ (49)

(૪૯) યાદ કરો એ સમય જયારે અમે તમને ફિરઔન ની ઓની ગુલામીમાંથી મુક્તિ આપી તેણે તમને સખત યાતનામાં રાખ્યા હતા, જે તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીને જીવતી છોડી દેતા હતા, અને તેમાંથી છુટકારો મેળવવામાં તમારા પાલનહારની મોટી કૃપા હતી .


وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ (50)

(૫૦) યાદ કરો એ સમય જયારે અમે સમુદ્રમાંથી (વચ્ચેથી) તમારા માટે માર્ગ બનાવ્યો પછી તેમાથી તમને સકુશળ પાર કરાવી દીધા પછી ત્યાં જ તમારી નજરો સમક્ષ ફિરઔન ના લોકો ને ડુબાડી દીધા.


وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ (51)

(૫૧) યાદ કરો જ્યારે અમે મૂસા (અ.સ) ને ચાલીસ (૪૦) રાતોનો વાયદો કરી ને અમારી પાસે બોલાવ્યા ત્યારે તેમની ગેરહાજરીમાં તમે વાછરડાને પોતાનુ ઉપાસ્ય (ઈબાદત) બનાવી બેઠા તે વખતે તમે ભારે અતિરેક કર્યો હતો.


ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ (52)

(૫૨) પરંતુ અમે તમને માફ કર્યા કે કદાચ હવે તમે આભારી બનો.


وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ (53)

(૫૩) યાદ કરો અમે મૂસાને ગ્રંથ (તૌરાત) અને ચમત્કાર આપ્યા જેથી તમે તેના દ્વારા સીધા માર્ગે ચાલી શકો.


وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ (54)

(૫૪) યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું ! તમે લોકો વાછરડા ને ઉપાસ્ય બનાવી પોતાની ઉપર ભારે અત્યાચાર કર્યો છે એટલા માટે તમેલોકો પોતાના સર્જનહારની (અલ્લાહની) સમક્ષ માફી માંગો (તૌબા કરો) અને તમારી કોમના અપરાધી માણસોને કતલ કરો, આમાં જ તમારા સર્જનહાર પાસે તમારી ભલાઈ છે, તે વખ્તે તમારા સર્જનહારે તમારી તોબા (માફી) સ્વીકારી કારણકે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.


وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ (55)

(૫૫) અને (તમે તે પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું હતુ કે અમે તમારો કદાપી વિશ્વાસ કરીશું નહિ જ્યાં સુધી પોતાની સગી આંખો થી અલ્લાહને જાહેરમાં ન જોઇ લઈએ, અને તેજ વખતે તમારાં જોત જોતામાં એક ભયંકર વિજળી કડાકા સાથે તમારી ઉપર પડી.


ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ (56)

(૫૬) તમે નિર્જીવ થઈને પડી ગયા હતા પરંતુ પછી અમે તમને જીવતા કર્યા, કે કદાચ આ ઉપકાર પછી તમે આભારી બની જાઓ.


وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ (57)

(૫૭) અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો, મન્ન અને સલવા નો ખોરાક પુરો પાડ્યો અને તમને કહ્યું જે શુધ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને આપી છે તે ખાઓ, તે અમારો તેમની ઉપર ઝુલ્મ ન હતો પરંતુ તેમણે જાતે જ પોતાની ઉપર ઝુલ્મ કર્યો.


وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ (58)

(૫૮) પછી યાદ કરો જ્યારે અમે કહ્યું હતુ આ વસ્તી (જે તમારી સમક્ષ છે) તે વસ્તી માં દાખલ થઈ જાઓ અને જે ઈચ્છો, જ્યાંથી ઈચ્છો તે મુક્તપણે ખાઓ પરંતુ વસ્તીના દરવાજામાં નમન કરી દાખલ થજો અને હિત્તતુન હિત્તતુન (અમે માફી માંગીએ છીએ) કહેતા જજો અમે તમારા ગુનાહ માફ કરીશું અને સદાચારીઓ ને વધુ કૃપા અને મેહરબાની થી ખૂબ વધારે આપીશુ.


فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ (59)

(૫૯) પરંતુ જે વાત તેમને કેહવામા આવી હતી ઝુલ્મીઓએ તેને બદલી નાખી અને કઈક બીજી જ બનાવી દીધી, છેવટે અમે ઝુલ્મીઓ ઉપર આકાશ માંથી યાતના ઉતારી આ સજા હતી એ નાફરમાનીઓ ની જે તેઓ કરી રહયા હતા.