(૪૮) અને ડરો એ દિવસ થી કોઈ કોઈ ના જરા પણ કામમાં નહીં આવે, ન કોઈ ની ભલામણ સ્વીકારવામાં આવશે, ન કોઈને બદલો અથવા બાનાની રકમ લઈ ને મુક્ત કરવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે.
(૪૯) યાદ કરો એ સમય જયારે અમે તમને ફિરઔન ની ઓની ગુલામીમાંથી મુક્તિ આપી તેણે તમને સખત યાતનામાં રાખ્યા હતા, જેતમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીને જીવતી છોડી દેતા હતા, અને તેમાંથી છુટકારો મેળવવામાં તમારા પાલનહારની મોટી કૃપા હતી .
(૫૦) યાદ કરો એ સમય જયારે અમે સમુદ્રમાંથી (વચ્ચેથી) તમારા માટે માર્ગ બનાવ્યો પછી તેમાથી તમને સકુશળ પાર કરાવી દીધા પછી ત્યાં જ તમારી નજરો સમક્ષ ફિરઔન ના લોકો નેડુબાડી દીધા.
(૫૧) યાદ કરો જ્યારે અમે મૂસા (અ.સ) ને ચાલીસ (૪૦) રાતોનો વાયદો કરી ને અમારી પાસે બોલાવ્યા ત્યારે તેમની ગેરહાજરીમાં તમે વાછરડાને પોતાનુ ઉપાસ્ય (ઈબાદત) બનાવી બેઠા તે વખતે તમે ભારે અતિરેક કર્યો હતો.
(૫૪) યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું !તમે લોકો વાછરડા ને ઉપાસ્ય બનાવી પોતાની ઉપર ભારે અત્યાચાર કર્યો છે એટલા માટે તમેલોકો પોતાના સર્જનહારની (અલ્લાહની) સમક્ષ માફી માંગો (તૌબા કરો) અને તમારી કોમના અપરાધી માણસોને કતલ કરો, આમાં જ તમારા સર્જનહાર પાસે તમારી ભલાઈ છે, તે વખ્તે તમારા સર્જનહારે તમારી તોબા (માફી) સ્વીકારી કારણકે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.
(૫૫) અને (તમે તે પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું હતુ કે અમે તમારો કદાપી વિશ્વાસ કરીશું નહિ જ્યાં સુધી પોતાની સગી આંખો થી અલ્લાહને જાહેરમાં ન જોઇ લઈએ, અને તેજ વખતે તમારાં જોત જોતામાં એક ભયંકર વિજળી કડાકા સાથે તમારી ઉપર પડી.
(૫૭) અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો, મન્ન અને સલવા નો ખોરાક પુરો પાડ્યો અને તમને કહ્યું જે શુધ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને આપી છે તે ખાઓ, તે અમારોતેમની ઉપર ઝુલ્મ ન હતો પરંતુ તેમણે જાતે જ પોતાની ઉપર ઝુલ્મ કર્યો.
(૫૮) પછી યાદ કરો જ્યારે અમે કહ્યું હતુ આ વસ્તી (જે તમારી સમક્ષ છે) તે વસ્તી માં દાખલ થઈ જાઓ અને જે ઈચ્છો, જ્યાંથી ઈચ્છો તે મુક્તપણે ખાઓ પરંતુ વસ્તીના દરવાજામાં નમન કરી દાખલ થજો અને હિત્તતુન હિત્તતુન (અમે માફી માંગીએ છીએ) કહેતા જજો અમે તમારા ગુનાહ માફ કરીશું અને સદાચારીઓ ને વધુ કૃપા અને મેહરબાની થી ખૂબ વધારે આપીશુ.
(૫૯) પરંતુ જે વાત તેમને કેહવામા આવી હતી ઝુલ્મીઓએ તેને બદલી નાખી અને કઈક બીજી જ બનાવી દીધી, છેવટે અમે ઝુલ્મીઓ ઉપર આકાશ માંથી યાતના ઉતારી આ સજા હતી એ નાફરમાનીઓ ની જે તેઓ કરી રહયા હતા.