Surah Al-Furqan

સૂરહ અલ-ફુરકાન

રૂકૂઅ : ૪

આયત ૩૫ થી ૪૪


وَ لَقَدْ اٰتَیْنَا مُوْسَى الْكِتٰبَ وَ جَعَلْنَا مَعَهٗۤ اَخَاهُ هٰرُوْنَ وَزِیْرًاۚۖ (35)

(૩૫) અને બેશક અમે મૂસાને કિતાબ આપી અને તેમના સાથે તેમના ભાઈ હારૂનને તેમનો સહાયક બનાવ્યો.


فَقُلْنَا اذْهَبَاۤ اِلَى الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ فَدَمَّرْنٰهُمْ تَدْمِیْرًاؕ (36)

(૩૬) અને કહી દીધુ કે તમે બંને તે લોકો તરફ જાઓ જેઓ અમારી નિશાનીઓને ખોટી ઠેરવી રહ્યા છે, પછી અમે તેમને બિલકુલ નષ્ટ કરી દીધા.


وَ قَوْمَ نُوْحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ اَغْرَقْنٰهُمْ وَ جَعَلْنٰهُمْ لِلنَّاسِ اٰیَةً ؕ وَ اَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ عَذَابًا اَلِیْمًاۚۖ (37)

(૩૭) અને નૂહની કોમે પણ જ્યારે રસૂલોને જૂઠા કહ્યા તો અમે તેમને ડૂબાડી દીધા અને લોકોના માટે તેમને નસીહત પ્રાપ્ત કરવાની નિશાની બનાવી દીધા અને અમે જાલિમોના માટે સખત સજા તૈયાર કરી રાખી છે.


وَّ عَادًا وَّ ثَمُوْدَاۡ وَ اَصْحٰبَ الرَّسِّ وَ قُرُوْنًۢا بَیْنَ ذٰلِكَ كَثِیْرًا (38)

(૩૮) અને આદ કોમ અને સમૂદ કોમ અને કૂવાવાળાઓને' અને તેમના વચ્ચે બીજા ઘણા સંપ્રદાયોને (નષ્ટ કરી દીધા)


وَ كُلًّا ضَرَبْنَا لَهُ الْاَمْثَالَ {ز} وَ كُلًّا تَبَّرْنَا تَتْبِیْرًا (39)

(૩૯) અને અમે દરેકના સામે દષ્ટાંતોને વર્ણન કર્યા, પછી દરેકને પૂરી રીતે નષ્ટ કરી દીધા.


وَ لَقَدْ اَتَوْا عَلَى الْقَرْیَةِ الَّتِیْۤ اُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ؕ اَفَلَمْ یَكُوْنُوْا یَرَوْنَهَا ۚ بَلْ كَانُوْا لَا یَرْجُوْنَ نُشُوْرًا (40)

(૪૦) અને આ લોકો તે વસ્તી પાસેથી પણ આવતાં-જતાં રહે છે જેમના ઉપર ખરાબ પ્રકારનો વરસાદ વરસાવવામાં આવ્યો, શું આના પછી પણ તેને જોતા નથી ? હકીકત એ છે કે તેમને મરીને બીજીવાર જીવતા થઈને ઉઠવા પર વિશ્વાસ જ નથી.


وَ اِذَا رَاَوْكَ اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ اَهٰذَا الَّذِیْ بَعَثَ اللّٰهُ رَسُوْلًاا (41)

(૪૧) અને તમને જયારે પણ જુએ છે તો તમારો મજાક ઉડાવવા લાગે છે, કહે છે કે, “શું આ જ તે માણસ છે જેને અલ્લાહે રસૂલ બનાવીને મોકલ્યો છે ? ”


اِنْ كَادَ لَیُضِلُّنَا عَنْ اٰلِهَتِنَا لَوْ لَاۤ اَنْ صَبَرْنَا عَلَیْهَا ؕ وَ سَوْفَ یَعْلَمُوْنَ حِیْنَ یَرَوْنَ الْعَذَابَ مَنْ اَضَلُّ سَبِیْلًا (42)

(૪૨) એ (તો કહો) કે અમે મક્કમ ન રહ્યા હોત તો તેણે તો અમને અમારા મા'બૂદોથી ભટકાવી દેવામાં કોઈ કસર નથી રાખી, અને જ્યારે તેઓ અઝાબને જોઈ લેશે ત્યારે તેમને સ્પષ્ટ રૂપે જાણ થઈ જશે કે સંપૂર્ણ રીતે માર્ગથી ભટકેલા કોણ હતા ?


اَرَءَیْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰىهُ ؕ اَفَاَنْتَ تَكُوْنُ عَلَیْهِ وَكِیْلًاۙ (43)

(૪૩) શું તમે તેને પણ જોયો છે જેણે પોતાની મનેચ્છાઓને પોતાનો દેવતા બનાવેલ છે ? શું તમે તેના જવાબદાર હોઈ શકો છો ?


اَمْ تَحْسَبُ اَنَّ اَكْثَرَهُمْ یَسْمَعُوْنَ اَوْ یَعْقِلُوْنَ ؕ اِنْ هُمْ اِلَّا كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ سَبِیْلًا ۧ (44)

(૪૪) શું તમે એમ સમજો છો કે આમાંના મોટા ભાગના લોકો સાંભળે અથવા સમજે છે ? આ તો નર્યા પશુ જેવા છે, બલ્કે એનાથી પણ વધારે ભટકેલા.! (ع-)