Surah Al-Mursalat
સૂરહ અલ-મુરસલાત
સૂરહ અલ-મુરસલાત
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૪૧) બેશક સદાચારી (નેક) લોકો છાંયડાઓમાં હશે અને વહેતી નહેરોમાં (હશે)
(૪૨) અને તે ફળોમાં જેની તેઓ ઈચ્છા રાખે.
(૪૩) (હે જન્નતવાળાઓ!) ખાઓ-પીઓ મજાથી, તમારા કરેલા કર્મોના બદલે.
(૪૪) બેશક અમે નેકી કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.[12]
(૪૫) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૪૬) (હે જૂઠાડનારાઓ ! ) તમે (દુનિયામાં) થોડું ખાઈ-પી લો અને ફાયદાઓ ઉઠાવી લો, હકીકતમાં તમે ગુનેહગાર છો.[13]
(૪૭) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૪૮) તમને જ્યારે કહેવામાં આવે છે ઝૂકી જાઓ (અલ્લાહ સમક્ષ) તો નથી ઝૂકતા.[14]
(૪૯) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.[15]
(૫૦) હવે આ (કુરઆન)ના પછી કઈ વાત પર ઈમાન લાવશો ? (ع-૨) [16]