(૮) શું તે વ્યક્તિ જેના માટે તેના બૂરા કામ સુશોભિત કરી દેવામાં આવ્યા છે તો તે તેને સારા સમજે છે (શું તે હિદાયત પામેલ વ્યક્તિ જેવો છે? ) અલ્લાહ જેને ચાહે ભટકાવી દે છે અને જેને ચાહે હિદાયત આપે છે તો તમારે તેમના ઉપર દુઃખી થઈને પોતાના જીવને તકલીફમાં ન નાખવો જોઈએ, આ લોકો જે કંઈ કરી રહ્યા છે, બેશક અલ્લાહ તેને સારી રીતે જાણે છે.
(૯) અને અલ્લાહ જ હવાઓને ચલાવે છે જે વાદળોને ઉઠાવે છે પછી અમે વાદળોને વેરાન ધરતી તરફ લઈ જઈએ છીએ અને તેના વડે તે ધરતીને તેના મૃત્યુ પછી જીવંત કરી દઈએ છીએ, આવી જ રીતે બીજીવાર જીવતા થઈને ઉઠવાનું (પણ) છે.[1]
(૧૦) જે વ્યક્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ચાહતો હોય તો અલ્લાહ (તઆલા) માટે જ તમામ પ્રતિષ્ઠા છે તમામ પવિત્ર બોલ તેના તરફ જ ચઢે છે અને નેક કાર્યો તેને ઉઠાવે છે, અને જે લોકો બૂરાઈની ઘાતમાં લાગેલા રહે છે,[1] તેમના માટે જ સખત સજા છે અને તેમનું આ પાખંડ નાશ થઈ જશે.
(૧૧) (લોકો!) અલ્લાહે તમને માટીથી પછી વિર્યથી પેદા કર્યા,[1] પછી તમારા જોડા (પુરૂષ-સ્ત્રી) બનાવી દીધા છે, સ્ત્રીઓનું ગર્ભધારણ કરવું અને બાળકનો જન્મ થવો બધું તેની જાણમાં છે અને જે કોઈને લાંબી ઉંમર આપવામાં આવે અને જે કોઈની ઉંમરમાં ઘટાડો થાય, આ બધું કીતાબમાં મોજૂદ છે અલ્લાહ માટે આ વાત ખૂબ સરળ છે.
(૧૨) અને બે સમુદ્રો સમાન નથી, એક મીઠો છે તરસ છિપાવે છે પીવામાં સારો છે, અને બીજો ખારો તથા કડવો, તમે આ બંનેમાંથી તાજું માંસ ખાઓ છો અને તે ઘરેણાં કાઢો છો જેને તમે પહેરો છો અને તમે જુઓ છો કે મોટી-મોટી નૌકાઓ જે પાણીને ચીરવા-ફાડવાવાળી[1] તે સમુદ્રોમાં છે જેથી તમે તેની કૃપા શોધો અને જેથી તમે તેના શુક્રગુજાર બનો.
(૧૩) તે રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે. છે અને સૂર્ય અને ચંદ્રને તેણે જ કામમાં લગાવી દીધા છે, આ બધું જ એક નિશ્ચિત મુદ્દત સુધી ચાલી રહ્યું છે તે જ અલ્લાહ છે તમારા બધાનો પાલનહાર, તેનું જ રાજય છે અને જેને તમે તેના સિવાય પોકારી રહ્યા છો તે તો ખજૂરના ઠળિયાની ફોતરીના પણ માલિક નથી.[1]
(૧૪) જો તમે તેમને પોકારો તો તેઓ તમારી પોકાર સાંભળતા જ નથી,[1] અને જો (માની લો કે) સાંભળી પણ લે તો કબૂલ નહિં કરે બલ્કે કયામતના દિવસે તમારા શિર્કનો સ્પષ્ટ ઈન્કાર કરી દેશે,[2] અને તમને કોઈ પણ અલ્લાહ (તઆલા) જેવો જાણકાર ખબરો નહિં આપે. (ع-૨)