Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

રૂકૂ : ૫

આયત ૩૮ થી ૫૦

وَ قَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِیْلَ الرَّشَادِ ۚ (38)

(૩૮) અને તે ઈમાનવાળા માણસે કહ્યું કે, “હે મારી કોમના લોકો! તમે (બધા) મારૂ અનુસરણ કરો, હું ભલાઈના માર્ગ પર તમારૂ માર્ગદર્શન કરીશ.


یٰقَوْمِ اِنَّمَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَا مَتَاعٌ {ز} وَّ اِنَّ الْاٰخِرَةَ هِیَ دَارُ الْقَرَارِ (39)

(૩૯) હે મારી કોમના લોકો! આ દુનિયાની જિંદગી નાશ થવાનો સામાન છે. (વિશ્વાસ રાખો કે સલામતી) અને કાયમી ઠેકાણું તો આખિરત (પરલોક) જ છે.


مَنْ عَمِلَ سَیِّئَةً فَلَا یُجْزٰۤى اِلَّا مِثْلَهَا ۚ وَ مَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَ هُوَ مُؤْمِنٌ فَاُولٰٓئِكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ یُرْزَقُوْنَ فِیْهَا بِغَیْرِ حِسَابٍ (40)

(૪૦) જેણે બૂરાઈ કરી છે તેને તેટલો જ બદલો મળશે અને જેણે ભલાઈ કરી છે ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી અને તે ઈમાનવાળો હોય, તો આ લોકો જન્નતમાં જશે અને જ્યાં તેમને બેહિસાબ રોજી આપવામાં આવશે.


وَ یٰقَوْمِ مَا لِیْۤ اَدْعُوْكُمْ اِلَى النَّجٰوةِ وَ تَدْعُوْنَنِیْۤ اِلَى النَّارِ ؕ (41)

(૪૧) અને હે મારી કોમના લોકો! આ શું વાત છે કે હું તમને છૂટકારા (મોક્ષ) તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો ?


تَدْعُوْنَنِیْ لِاَكْفُرَ بِاللّٰهِ وَ اُشْرِكَ بِهٖ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ {ز} وَّ اَنَا اَدْعُوْكُمْ اِلَى الْعَزِیْزِ الْغَفَّارِ (42)

(૪૨) તમે મને એ વાતનું આમંત્રણ આપી રહ્યા છો કે હું અલ્લાહ સાથે કુફ્ર કરૂ અને તેના સાથે તે હસ્તીઓને ભાગીદાર બનાવું જેનું મને કોઈ ઈલ્મ નથી, જ્યારે કે હું તમને જબરજસ્ત માફ કરનાર (મા'બૂદ) તરફ આમંત્રણ આપી રહ્યો છું.


لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِیْۤ اِلَیْهِ لَیْسَ لَهٗ دَعْوَةٌ فِی الدُّنْیَا وَ لَا فِی الْاٰخِرَةِ وَ اَنَّ مَرَدَّنَاۤ اِلَى اللّٰهِ وَ اَنَّ الْمُسْرِفِیْنَ هُمْ اَصْحٰبُ النَّارِ (43)

(૪૩) આ વાત નિશ્ચિત છે કે તમે મને જેમના તરફ આમંત્રણ આપી રહ્યા છો તે તો ન દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખિરતમાં, અને એ (પણ ચોક્કસ વાત છે) કે આપણે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે અને હદથી વધી જનારા બેશક જહન્નમવાળાઓ છે.


فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْ ؕ وَ اُفَوِّضُ اَمْرِیْۤ اِلَى اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ بَصِیْرٌۢ بِالْعِبَادِ (44)

(૪૪) તો આગળ જઈને તમે મારી વાતોને યાદ કરશો, હું મારો (પોતાનો) મામલો અલ્લાહના હવાલે કરૂ છું, બેશક અલ્લાહ (તઆલા) બંદાઓને જોવાવાળો છે.


فَوَقٰىهُ اللّٰهُ سَیِّاٰتِ مَا مَكَرُوْا وَ حَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِ ۚ (45)

(૪૫) તો તેને અલ્લાહ (તઆલા)એ તમામ બૂરાઈઓથી બચાવી લીધો જેને તે લોકોએ વિચારી રાખી હતી, અને ફિરઔનના સાથીઓ ઉપર સૌથી ખરાબ અઝાબ તૂટી પડ્યો.


اَلنَّارُ یُعْرَضُوْنَ عَلَیْهَا غُدُوًّا وَّ عَشِیًّا ۚ وَ یَوْمَ تَقُوْمُ السَّاعَةُ {قف} اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ (46)

(૪૬) આગ છે જેના સામે આ લોકોને દરરોજ સવાર-સાંજ લાવવામાં આવે છે, અને જે દિવસે કયામતની ઘડી આવી જશે (આદેશ થશે કે) ફિરઔનના સાથીઓને ખૂબ જ સખત અઝાબમાં નાખો.


وَ اِذْ یَتَحَآجُّوْنَ فِی النَّارِ فَیَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِیْبًا مِّنَ النَّارِ (47)

(૪૭) અને જ્યારે તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડશે, તો કમજોર લોકો મોટા લોકોને (જેમના તાબા હેઠળ તેઓ હતા) કહેશે કે, “અમે તો તમારા પેરોકાર હતા, તો શું હવે તમે અમારાથી આ આગનો કોઈ હિસ્સો દૂર કરી શકો છો ?


قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِیْهَاۤ ۙ اِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَیْنَ الْعِبَادِ (48)

(૪૮) તે મોટા લોકો જવાબ આપશે કે, “અમે તો બધા આ આગમાં છીએ, અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓના વચ્ચે ફેંસલો કરી ચૂક્યો છે.”


وَ قَالَ الَّذِیْنَ فِی النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ یُخَفِّفْ عَنَّا یَوْمًا مِّنَ الْعَذَابِ (49)

(૪૯) અને તમામ જહન્નમવાસીઓ (ભેગા થઈને) જહન્નમના રક્ષકોને કહેશે કે, “તમે જ પોતાના રબથી દુઆ કરો કે તે કોઈક દિવસે પણ અમારી સજામાં ઘટાડો કરી દે.”


قَالُوْۤا اَوَ لَمْ تَكُ تَاْتِیْكُمْ رُسُلُكُمْ بِالْبَیِّنٰتِ ؕ قَالُوْا بَلٰى ؕ قَالُوْا فَادْعُوْا ۚ وَ مَا دُعٰٓؤُا الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۧ (50)

(૫૦) તેઓ જવાબ આપશે કે, “શું તમારા પાસે તમારા રસૂલ સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા ન હતા ?” તેઓ કહેશે, “કેમ નહીં” (રક્ષકો) કહેશે કે, “તો પછી તમે જ દુઆ કરો અને કાફિરોની દુઆ (બેઅસર અને) બેકાર છે.” (ع-)