Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૨૨) અને તમારાથી માસિકધર્મ (હેઝ)ના વિષે સવાલ કરે છે કહી દો તે ગંદગી છે. માસિકના સમયે સ્ત્રીઓથી અલગ રહો[106] અને જયાં સુધી તે પવિત્ર ન થઈ જાય એમની નજીક ન જાઓ, હા, જયારે તે પવિત્ર થઈ જાય તો એમની પાસે જાઓ જ્યાંથી અલ્લાહે તમને છૂટ આપી છે અલ્લાહ માફી માંગનાર અને પવિત્ર રહેનારને પસંદ કરે છે.
(૨૨૩) તમારી પત્નીઓ તમારી ખેતી છે, પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો જાઓ અને પોતાના માટે (પુણ્ય) આગળ મોકલો, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે તેને મળવાના છો અને ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો.
(૨૨૪) અને અલ્લાહ (તઆલા)ને પોતાની કસમોના (આવી રીતે) નિશાનો ન બનાવો કે ભલાઈ અને પરહેઝગારી અને લોકોના વચ્ચે સુધાર કરવાનું છોડી બેસો.[107] અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.
(૨૨૫) અલ્લાહ (તઆલા) તમને તમારી તે કસમો પર નહિં પકડે જે મજબૂત ન હોય.[108] હા તમારી પકડ એ વસ્તુ પર છે જે તમારા દિલોનો અમલ છે અલ્લાહ (તઆલા) માફ કરનાર સહનશીલ છે.
(૨૨૬) જે લોકો પોતાની પત્નીઓથી (ન મળવાની) કસમ ખાય તેમના માટે ચાર મહિનાઓની મુદ્દત છે,[109] પછી જો તે પરત આવે તો અલ્લાહ (તઆલા) માફ કરનાર મહેરબાન છે.
(૨૨૭) અને જો તલાકનો જ ઈરાદો કરી લે, તો અલ્લાહ (તઆલા) ઘણો સાંભળનાર અને જાણનાર છે.
(૨૨૮) તલાકવાળી સ્ત્રીઓ પોતે પોતાને ત્રણ માસિક સુધી રોકી રાખે.[110] તેમના માટે માન્ય નથી કે અલ્લાહે તેમના ગર્ભમાં જે પેદા કર્યું હોય તેને છુપાવે, જો તેમને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન હોય. તેમના પતિને આ મુદ્દતમાં તેમને પરત લાવવાનો પૂરો હક છે, જો તેમનો ઈરાદો સુધારનો હોય,[111] સ્ત્રીઓના પણ તેવા જ હક છે, જેવા તેમના પર પુરૂષોના છે ભલાઈના સાથે.[112] હા, પુરૂષોની સ્ત્રીઓ પર શ્રેષ્ઠતા છે અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.