(૨૨૨)અને તમારાથી માસિકધર્મ (હૈઝ)ના વિશે સવાલ કરે છે કહી દો તે ગંદકી છે. માસિકના સમયે સ્ત્રીઓથી અલગ રહો અને જ્યાં સુધી તે પવિત્ર ન થઈ જાય એમની નજીક ન જાઓ. હા, જ્યારે તે પવિત્ર થઈ જાય તો એમની પાસે જાઓ જ્યાંથી અલ્લાહે તમને છૂટ આપી છે અલ્લાહ માફી માંગનાર અને પવિત્ર રહેનારને પસંદ કરે છે.
(૨૨૩) તમારી પત્નીઓ તમારી ખેતી છે, પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો જાઓ અને પોતાના માટે (પુણ્ય) આગળ મોકલો, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે તેને મળવાના છો અને ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો.
(૨૨૪) અને અલ્લાહ (તઆલા)ને પોતાની કસમોના (આવી રીતે) નિશાનો ન બનાવો કે ભલાઈ અને પરહેઝગારી અને લોકોના વચ્ચે સુધારો કરવાનું છોડી બેસો. અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.
(૨૨૫) અલ્લાહ (તઆલા) તમને તમારી તે કસમો પર નહિં પકડે જે મજબૂત ન હોય. હા તમારી પકડ એ વસ્તુ પર છે જે તમારા દિલોનો અમલ છે અલ્લાહ (તઆલા) માફ કરનાર સહનશીલ છે.
(૨૨૮) તલાકવાળી સ્ત્રીઓ પોતે પોતાને ત્રણ માસિક સુધી રોકી રાખે. તેમના માટે માન્ય નથી કે અલ્લાહે તેમના ગર્ભમાં જે પેદા કર્યું હોય તેને છુપાવે, જો તેમને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન હોય. તેમના પતિને આ મુદ્દતમાં તેમને પરત લાવવાનો પૂરો હક છે, જો તેમનો ઈરાદો સુધારનો હોય, સ્ત્રીઓના પણ તેવા જ હક છે, જેવા તેમના પર પુરૂષોના છે ભલાઈના સાથે. હા, પુરૂષોની સ્ત્રીઓ પર શ્રેષ્ઠતા છે અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમત વાળો છે.