Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૯

આયત ૮૧ થી ૯૧


وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ (81)

(૮૧) અને જયારે અલ્લાહ (તઆલા)એ નબીઓથી વચન લીધું કે જે કંઈ હું તમને કિતાબ અને હિકમત આપું, પછી તમારા પાસે તે રસૂલ આવે જે તમારા પાસેની વસ્તુને સાચી બતાવે તો તમારા માટે તેના ૫૨ ઈમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે. ફરમાવ્યું કે તમે આને કબૂલ કરો છો અને તેના ૫૨ મારી જવાબદારી લો છો ? બધાએ કહ્યું, અમને કબૂલ છે, ફરમાવ્યું તો ગવાહ રહો અને હું પોતે તમારા સાથે ગવાહ છું.


فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ (82)

(૮૨) હવે આના પછી પણ જે ફરી જાય, તે જરૂર નાફરમાન (દુરાચારી) છે.

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ (83)

(૮૩) શું તેઓ અલ્લાહ (તઆલા)ના ધર્મ સિવાય કોઈ બીજા ધર્મની શોધમાં છે? જયારે કે બધા આકાશોવાળા અને ધરતીવાળા અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છે, ખુશી થી હોય તો પણ અને નાખુશીથી હોય તો, બધાને તેના તરફ પાછા ફેરવવામાં આવશે.


قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ (84)

(૮૪) તમે કહી દો, કે અમે અલ્લાહ (તઆલા) ૫૨ અને જે કંઈ અમારા ઉ૫૨ ઉતારવામાં આવ્યું છે અને જે ઈબ્રાહીમ (અ.સ.) અને ઈસ્માઈલ (અ.સ.) અને યાકૂબ (અ.સ.) અને તેમની સંતાન ઉપર ઉતારવામાં આવ્યું, અને જે કંઈ મૂસા (અ.સ.) અને ઈસા (અ.સ.) અને બીજા નબીઓને અલ્લાહ (તઆલા)ના તરફથી પ્રદાન કરવામાં આવ્યું, તે તમામ ૫૨ ઈમાન લાવ્યા, અને તેમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ કરતા નથી અને અમે અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છીએ.


وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ (85)

(૮૫) અને જે (વ્યક્તિ) ઈસ્લામના સિવાય કોઈ બીજા ધર્મની શોધ કરે તેનો ધર્મ સ્વીકારવામાં નહિં આવે અને તે આખિરતમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે.


كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ (86)

(૮૬) અલ્લાહ (તઆલા) કેવી રીતે તે લોકોને હિદાયત આપશે જેઓ પોતાના ઈમાન લાવવા, રસૂલની સચ્ચાઈ જાણવાની ગવાહી આપવા અને પોતાની પાસે સ્પષ્ટ નિશાની આવી ગયા પછી પણ કાફિર થઈ જાય. અલ્લાહ (તઆલા) આવા જાલીમોને સીધો રસ્તો દેખાડતો નથી.


أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ (87)

(૮૭) તેમની સજા એ છે કે તેમના ૫૨ અલ્લાહ (તઆલા)ની ફિટકાર છે અને ફરિશ્તાઓની અને તમામ લોકોની.


خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ (88)

(૮૮) તેઓ હંમેશા તેમાં રહેશે ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન છૂટ આપવામાં આવશે.


إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (89)

(૮૯) પરંતુ જે લોકો તેના પછી તૌબા અને સુધાર કરી લે તો બેશક અલ્લાહ માફ કરનાર અને મહેરબાન છે.


إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ (90)

(૯૦) બેશક જે લોકો પોતાના ઈમાન પછી કુફ્ર કરે પછી કુફ્રમાં વધી જાય તેમની તૌબા કદી પણ કબૂલ કરવામાં નહિં આવે અને આવા લોકો ગુમરાહ છે.


إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ (91)

(૯૧) બેશક જે લોકો કાફિર હોય અને મરતાં સમય સુધી કાફિર રહે, તેમનામાંથી જો કોઈ જમીનભર સોનું આપે, ભલેને ફિદિયામાં હોય તો પણ ક્યારેય કબૂલ કરવામાં આવશે નહિં, આવા લોકો માટે સખત અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નથી.