(૮૪) તમે કહી દો, કે અમે અલ્લાહ (તઆલા) ૫૨ અને જે કંઈ અમારા ઉ૫૨ ઉતારવામાં આવ્યું છે અને જે ઈબ્રાહીમ (અ.સ.) અને ઈસ્માઈલ (અ.સ.) અને યાકૂબ (અ.સ.) અને તેમની સંતાન ઉપર ઉતારવામાં આવ્યું, અને જે કંઈ મૂસા (અ.સ.) અને ઈસા (અ.સ.) અને બીજા નબીઓને અલ્લાહ (તઆલા)ના તરફથી પ્રદાન કરવામાં આવ્યું, તે તમામ ૫૨ ઈમાન લાવ્યા, અને તેમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ કરતા નથી અને અમે અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છીએ.