Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૫

આયત ૪૨ થી ૫૦


وَ لَقَدْ اَرْسَلْنَاۤ اِلٰۤى اُمَمٍ مِّنْ قَبْلِكَ فَاَخَذْنٰهُمْ بِالْبَاْسَآءِ وَ الضَّرَّآءِ لَعَلَّهُمْ یَتَضَرَّعُوْنَ (42)

(૪૨) અને અમે બીજી કોમો તરફ પણ જો કે તમારાથી પહેલા પસાર થઈ ગઈ છે, પયગંબર મોકલ્યા હતા. તેમને પણ અમે ગરીબી અને બિમારીથી પકડયા જેથી તેઓ વિનમ્રતાપૂર્વક અમારા સામે ઝૂકી પડે.


فَلَوْ لَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَ لٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَ زَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ مَا كَانُوْا یَعْمَلُوْنَ (43)

(૪૩) આ રીતે તેઓને અમારી સજા મળી તો તેઓ કમજોર કેમ ન પડ્યા ? પરંતુ તેમના દિલ સખત થઈ ગયા હતા અને શયતાને તેમના કર્મોને તેમની દ્રષ્ટિમાં સારા બનાવી દીધા.


فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖ فَتَحْنَا عَلَیْهِمْ اَبْوَابَ كُلِّ شَیْءٍ ؕ حَتّٰۤى اِذَا فَرِحُوْا بِمَاۤ اُوْتُوْۤا اَخَذْنٰهُمْ بَغْتَةً فَاِذَا هُمْ مُّبْلِسُوْنَ (44)

(૪૪) અને જયારે તેઓ તે શિખામણને ભૂલી ગયા જેની તાલીમ આપવામાં આવી હતી તો અમે તેમના ઉપર દરેક વસ્તુના દરવાજા ખોલી નાખ્યા, ત્યાં સુધી કે જયારે તેઓ પોતાની મેળવેલ વસ્તુઓ ઉપર ઈતરાવા લાગ્યા તો અમે તેમને અચાનક પકડી લીધા અને તેઓ નિરાશ થઈને રહી ગયા.


فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِیْنَ ظَلَمُوْا ؕ وَ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ (45)

(૪૫) પછી જાલિમ લોકોની જડ કપાઈ ગઈ અને પ્રશંસા અલ્લાહ (તઆલા) માટે છે જે સમગ્ર સૃષ્ટિનો ૨બ છે.


قُلْ اَرَءَیْتُمْ اِنْ اَخَذَ اللّٰهُ سَمْعَكُمْ وَ اَبْصَارَكُمْ وَ خَتَمَ عَلٰى قُلُوْبِكُمْ مَّنْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ یَاْتِیْكُمْ بِهٖ ؕ اُنْظُرْ كَیْفَ نُصَرِّفُ الْاٰیٰتِ ثُمَّ هُمْ یَصْدِفُوْنَ (46)

(૪૬) તમે કહો કે, “એ બતાવો જો અલ્લાહ (તઆલા) તમારા સાંભળવા અને જોવાની શક્તિ પૂરી રીતે છીનવી લે અને તમારા દિલો ૫૨ મહોર લગાવી દે તો અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજો મા'બૂદ છે જે આ શક્તિ તમને પાછી અપાવી દે? તમે જુઓ કે અમે કેવી રીતે દલીલને જુદા-જૂદા સ્વરૂપે રજૂ કરી રહ્યા છીએ, છતાં પણ તેઓ કતરાઈ રહ્યા છે."


قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ بَغْتَةً اَوْ جَهْرَةً هَلْ یُهْلَكُ اِلَّا الْقَوْمُ الظّٰلِمُوْنَ (47)

(૪૭) તમે કહો કે, “એ બતાવો જો તમારા ઉપર અલ્લાહનો અઝાબ અચાનક અથવા સાવધાનીમાં આવી પડે તો જાલિમોના સિવાય કોઈ માર્યો જશે?"


وَ مَا نُرْسِلُ الْمُرْسَلِیْنَ اِلَّا مُبَشِّرِیْنَ وَ مُنْذِرِیْنَ ۚ فَمَنْ اٰمَنَ وَ اَصْلَحَ فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَ لَا هُمْ یَحْزَنُوْنَ (48)

(૪૮) અને અમે રસૂલોને એટલા માટે મોકલીએ છીએ કે તેઓ ખુશખબર આપે અને ખબરદાર કરે, પછી જે લોકો ઈમાન લઈ આવે અને પોતાનો સુધાર કરી લે તેમને ન કોઈ ભય હશે ન તેઓ દુ:ખી હશે.


وَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا یَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ (49)

(૪૯) અને જે લોકો અમારી આયતોને જૂઠાડે છે તેમને અઝાબ પહોંચશે કેમકે તેઓ નાફરમાન છે.


قُلْ لَّاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِیْ خَزَآئِنُ اللّٰهِ وَ لَاۤ اَعْلَمُ الْغَیْبَ وَ لَاۤ اَقُوْلُ لَكُمْ اِنِّیْ مَلَكٌ ۚ اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤى اِلَیَّ ؕ قُلْ هَلْ یَسْتَوِی الْاَعْمٰى وَ الْبَصِیْرُ ؕ اَفَلَا تَتَفَكَّرُوْنَ ۧ (50)

(૫૦) (તમે) કહી દો કે, “ન તો હું તમને એમ કહું છું કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે અને ન હું ગૈબ જાણુંછું, અને ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરૂ છું (તમે) કહી દો કે, “શું આંધળો અને આંખવાળો બંને સમાન હોઈ શકે છે ?" તો શું તમે વિચાર નથી કરતા. -૫)