(૫૦) (તમે) કહી દો કે, “ન તો હું તમને એમ કહું છું કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે અને ન હું ગૈબ જાણુંછું, અને ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરૂ છું (તમે) કહી દો કે, “શું આંધળો અને આંખવાળો બંને સમાન હોઈ શકે છે ?" તો શું તમે વિચાર નથી કરતા.
(ع-૫)