Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૦

આયત ૮૩ થી ૯૦


وَ تِلْكَ حُجَّتُنَاۤ اٰتَیْنٰهَاۤ اِبْرٰهِیْمَ عَلٰى قَوْمِهٖ ؕ نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ اِنَّ رَبَّكَ حَكِیْمٌ عَلِیْمٌ (83)

(૮૩) અને આ અમારી દલીલ છે જેને અમે ઈબ્રાહીમને તેમની કોમના મુકાબલામાં આપી, અમે જેનું પદ ઈચ્છીએ વધારી દઈએ છીએ, બેશક તમારો રબ હિકમતવાળો ઈલ્મવાળો છે.


وَ وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَ یَعْقُوْبَ ؕ كُلًّا هَدَیْنَا ۚ وَ نُوْحًا هَدَیْنَا مِنْ قَبْلُ وَ مِنْ ذُرِّیَّتِهٖ دَاوٗدَ وَ سُلَیْمٰنَ وَ اَیُّوْبَ وَ یُوْسُفَ وَ مُوْسٰى وَ هٰرُوْنَ ؕ وَ كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَۙ (84)

(૮૪) અને અમે તેમને (પુત્ર) ઈસહાક અને (પૌત્ર) યાકૂબ આપ્યા, અને દરેકને સીધો રસ્તો દેખાડ્યો, તેના પહેલા નૂહને રસ્તો દેખાડ્યો અને તેમની સંતાનમાં દાઊદ અને સુલેમાન અને ઐયૂબ અને યૂસુફ અને મૂસા અને હારૂનને, અને આવી રીતે અમે નેકી કરવાવાળાઓને બદલો આપીએ છીએ.


وَ زَكَرِیَّا وَ یَحْیٰى وَ عِیْسٰى وَ اِلْیَاسَ ؕ كُلٌّ مِّنَ الصّٰلِحِیْنَۙ (85)

(૮૫) અને ઝકરિયા અને યાહ્યા અને ઈસા અને ઈલ્યાસને, બધા સદાચારીઓમાંથી હતા.


وَ اِسْمٰعِیْلَ وَ الْیَسَعَ وَ یُوْنُسَ وَ لُوْطًا ؕ وَ كُلًّا فَضَّلْنَا عَلَى الْعٰلَمِیْنَۙ (86)

(૮૬) અને ઈસ્માઈલ અને યસ્અ અને યૂનુસ અને લૂતને, બધાને અમે દુનિયાવાળાઓ ઉપર શ્રેષ્ઠતા પ્રદાન કરી.


وَ مِنْ اٰبَآئِهِمْ وَ ذُرِّیّٰتِهِمْ وَ اِخْوَانِهِمْ ۚ وَ اجْتَبَیْنٰهُمْ وَ هَدَیْنٰهُمْ اِلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (87)

(૮૭) અને તેમના પિતાઓ અને સંતાનો અને ભાઈઓમાંથી, અને અમે તેમને પસંદ કરી લીધા અને તેમને સીધો રસ્તો દેખાડ્યો.


ذٰلِكَ هُدَى اللّٰهِ یَهْدِیْ بِهٖ مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ وَ لَوْ اَشْرَكُوْا لَحَبِطَ عَنْهُمْ مَّا كَانُوْا یَعْمَلُوْنَ (88)

(૮૮) આ જ અલ્લાહનો રસ્તો છે પોતાના બંદાઓમાંથી જેને તે ઈચ્છે છે તેને રસ્તો દેખાડે છે અને જો તે લોકો પણ શિર્ક કરતા તો તેમના કર્મો બેકાર થઈ જતા.


اُولٰٓئِكَ الَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ وَ الْحُكْمَ وَ النُّبُوَّةَ ۚ فَاِنْ یَّكْفُرْ بِهَا هٰۤؤُلَآءِ فَقَدْ وَ كَّلْنَا بِهَا قَوْمًا لَّیْسُوْا بِهَا بِكٰفِرِیْنَ (89)

(૮૯) તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોકો તેને ન માનતા, તો અમે એવા લોકો તૈયાર કરી રાખ્યા છે જેઓ તેનો ઈન્કાર નહિ કરે.


اُولٰٓئِكَ الَّذِیْنَ هَدَى اللّٰهُ فَبِهُدٰىهُمُ اقْتَدِهْ ؕ قُلْ لَّاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ اَجْرًا ؕ اِنْ هُوَ اِلَّا ذِكْرٰى لِلْعٰلَمِیْنَ ۧ (90)

(૯૦) આ તે લોકો છે જેમને અલ્લાહે સાચો રસ્તો દેખાડ્યો એટલા માટે તમે તેમના રસ્તાનું અનુસરણ કરો, તમે કહો કે, “હું આના ઉ૫૨ કોઈ બદલાની માંગણી કરતો નથી.” આ દુનિયાવાળાઓ માટે ફક્ત જાહેર શિખામણ છે. -૧૦)