(૩) તમારા પર હરામ કરી દેવામાં આવ્યા છે મુરદાર, અને લોહી, અને સુવ્વરનું માંસ અને જેના પર અલ્લાહના સિવાય બીજાઓના નામ પોકારવામાં આવ્યા હોય, અને ગળુ ટૂંપાઈને મરે, કે વાગવાથી મરે, કે ઊંચેથી પડીને મરે, કે બીજા જાનવરના શિંગડાના પ્રહારથી મરે, અને જેનો કેટલોક ભાગ હિંસક પશુએ ખાઈ લીધો હોય, પરંતુ જેને તમે ઝબેહ કરી લીધું, અને જે થાનકો ૫૨ ઝબેહ કરવામાં આવે અને પાસા (લોટરી)ના જરીએ વહેંચણી કરવી, આ બધા ઘણા મોટા ગુનાહ છે. આજે કાફિરો તમારા ધર્મ તરફથી નિરાશ થઈ ગયા, એટલા માટે તેમનાથી ન ડરો ફકત મારાથી ડરો, આજે મેં તમારા માટે તમારા ધર્મને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી ને’મત પરિપૂર્ણ કરી દીધી અને તમારા માટે ઈસ્લામ ધર્મને પસંદ કરી લીધો, પરંતુ જે ભૂખથી બેચેન થઈ જાય અને કોઈ ગુનોહ કરવાનો ઈરાદો ન હોય તો બેશક અલ્લાહ માફ કરવાવાળો, ઘણો મહેરબાન છે.